________________
અપ્રગટ સતુને પ્રગટ થવા વિનંતી
મુમુક્ષુઓના પરમ હિતસ્વી શ્રી સોભાગભાઇ અને શ્રી ડુંગરશીભાઇ શ્રીમદ્જીને વારંવાર પરમાર્થ માર્ગને પ્રકાશવા માટે ભેખ લઇ નીકળી પડવાની વિનંતી કરતા. તેના જવાબમાં શ્રીમદ્જી લખે છે કે, ‘પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઇચ્છા છે. જ્યાં સુધી અસંગ થઇશું નહિ અને ત્યારપછી તેની ઈચ્છા મળશે નહિ ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ ક્કીશું નહિં અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે, અમેતો દીન માત્ર છીએ.” વિશેષમાં જણાવે છે કે “યથાપ્રારબ્ધ ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થતાં, ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ સપુરૂષો પ્રકાશતા નથી. અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિધ્ધ રહે છે, સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે.'
Jain Education International
For PersonYQ Private Use Only
www.jainelibrary.org