________________
(૩૮) મંદિરે પધારો સ્વામી સલૂણા ! તમારા વિના નાથ ક્યાયે ગમે ના. મંદિરે અંતરની વાતો આંસુ કહે છે, કૃપાળુ ! હવે ઝાઝું તલસાવશો મા. મંદિરે, ૧
સ્મરણ જન્મ જૂનાં સ્મૃતિ માંહી આવે, નયન શોધતાં તમને પ્રભુ આર્તભાવે, કે મુખ પરથી દષ્ટિ હટાવી હટે ના. મંદિરે ૨ હરખાતી પળ પળ પ્રભુ તમને જોઈ, હવે દિન વિરહમાં વીતે રોઈ રોઈ, વિજોગનું દુઃખ આવું કોઈને હશો ના. મંદિરે ૩ તમે જઈ વસ્યા સ્વામી સ્વરૂપમહેલમાં, રઝળતી હું રહી આ સંસારરણમાં, હવે નાથ અંતરથી અળગા થશો મા. મંદિરે, ૪ પ્રભુ, મુજને તારો ! ઉગારો ! ઉગારો ! મૂકી મસ્તકે હાથ ઘોને સહારો, ક્ષમાવંતને ઝાઝું કહેવું ઘટે ના. મંદિરે, ૫ અંતરની જ્યોતિ પ્રગટાવી જાઓ, મનોહર મુખડું દરશાવી જાઓ, અમી આતમનાં છલકાવી જાઓ, દિલાસાથી દિલનું દુઃખ જશે ના. મંદિરે, ૬
*
*
*
૨૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org