________________
(૧૩૮) ઝાંખી ક્યાંથી થાય, હું પદ હૈયેથી ન વિસરાઈ;
હરિની ઝાંખી ક્યાંથી થાય.
હિમ ભરતાં વહેલે પહોરીયે, નદીયે નહાવા જાય, નિર્મળ જળમાં નહાયો ઘણું પણ, મનનો મેલ ન જાય. ..૧
વેદ પુરાણના પાઠ કરેને, આખી ગીતા ગાય, ગીતા જ્ઞાન ન ભીતર આવ્યું, મુખે ગાય શું થાય. ..૨
તિલક છાપી ને અંગે, મંડળીઓમાં જાય, જ્ઞાન વૈરાગ્યનાં ગાન કરે પણ, આતમજ્ઞાન ન થાય .. ૩
એકાદશી ઉપવાસ કરે ને, મંદિરમાં દેવ જાય, ભલું ન ભાઈનું ભાળી શકે, એને હાથે ભલું કોનું થાય. ..૪
ઉપર રૂડાં ભીતર કૂડાં, બાહર ડોળ દેખાય, અંતરયામી દીન દયાળુ, છેતરો ન છેતરાય. ..૫
કાવા દાવા કપટ ત્યાગી, હરિ શરણમાં જાય, માતા પિતા ગુરુ આશિષ મળતાં, ઝાંખી હરિની થાય હરિની ઝાંખી ત્યારે થાય. .. ૬
-
-
(૯૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org