SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ વસ્તુધર્મે વિચારતાં આત્મદ્રવ્યને વિષે સેવ્ય-સેવક ભાવ નથી, સત્તાથી સર્વ દ્રવ્ય સમાન છે, અને કોઈ દ્રવ્ય કોઇનો ધર્મ લેતાં દેતાં ; દ નથી પણ જે સંસારી જીવ તે અનાદિથી અઢાર પાપસ્થાનકનું સેવન કરતો, વિભાવભાવમાં રાચતો કર્મથી અવરાઇને સંસારી પુદ્ગલનો ભિખારી થયેલો છે. મોહના પાસામાં સપડાઈને દુઃખમયી થયો છે, તે જ જ્યારે સ્વરૂપને પામે ત્યારે સિદ્ધ કે ભગવંત થાય. પણ આ પદ તો જે હું હું નિઃકર્મા થયા છે, સંપૂર્ણપણે તત્ત્વ ભોગી થયા છે તેના અવલંબનથી જ છે હું નિપજે છે. માટે સ્વકાર્ય કરવાને, જે પરમાત્મા-નિષ્પન્ન સિદ્ધ અથવા સિદ્ધ થવાની રીત જાણીને જે તેમાં જ રહે છે તેને નિમિત્ત કારણપણે અવલંબીને અંતરંગ પરિણતિથી સેવે તો તે તેવો થાય. નિમિત્ત અવલંબનથી જે સેવના કરવામાં આવે છે, તેને અપવાદ સેવા કહેવામાં આવે છે. અને જ્યારે તે પ્રમાણે કરતાં કરતાં સાધ્ય નિપજી જાય. એટલે કે સાધક - પરમાત્મા બની જાય, તે ઉત્સર્ગ સેવના કહેવામાં આવે છે: હું જે સંપૂર્ણ નિર્મલ નિર્દોષ સ્વભાવ થયો, જેથી આગળ બીજી અવસ્થા હું કાંઈ નહીં, તેને ઉત્સર્ગ કહેવામાં આવે છે, અને એ ઉત્સર્ગને નિપજાવવા માટે કારણરૂપ જે માર્ગ અંગીકાર કરવો, તેને અપવાદ કહીએ. અહીંયા સેવના કરતાં જે આત્મસાધન થયું, તે ઉત્સર્ગ અને આત્મસાધન નિપજાવવાને જે કારણનું અવલંબન લીધું તે સર્વ અપવાદ જાણવું. અપવાદ અને ભાવ સેવના તે સાત નયે કરી સાતભેદે છે તે સાત | નયનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રમાણે છે. હું ૧. અનેકે ગમા સંકલ્પારોપાંશાશ્રયાલ્યા યત્ર સઃ નેગમઃ જ્યાં અનેક નામાદિક ગમી ગ્રહવાયે તથા સંકલ્પ, આરોપે અને 3 અંશે પણ વસ્તુને માને, તે નૈગમ નય કહીએ. શ્રીમદ દેવચંદ્રજી કત ચોવીસી ૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy