SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અવ્યાબાધ રુચિ થઈ, સાધે અવ્યાબાધ હો, જિ. દેવચંદ્ર પદ તે લહે, પરમાનંદ સમાધ હો. જિ. ... શ્રી સુ. ૮ જેવું પરમાનંદરૂપ અવ્યાબાધ સુખ શ્રી સુપાર્શ્વ પ્રભુને વિષે છે, હું એવું જ સુખ મારા વિષે પણ છે, એવું જાણપણું થવાથી ભવ્ય જીવને હું ઉપયોગ આવ્યો કે હું પણ જ્ઞાનાદિ અનંત ગુણોનો ધણી છું. એમ જાણતાં તે અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ આદરે છે ? અને તેને પ્રાપ્ત કરે છે. તે કેવી રીતે ? કે જેણે તે પ્રાપ્ત કરેલ છે ? હું તેના આશ્રમમાં રહીને તે સાધના દ્વારા સિદ્ધતાને વરે છે. એટલે શું સાધક પોતે દેવોમાં ચંદ્ર સમાન એવા શ્રી અરિહંત અને સિદ્ધપદને છે પ્રાપ્ત કરે છે. એટલે પરમ આનંદ અને સમાધિ પ્રાપ્ત કરે છે. ૮. શ્રી ચન્દ્રપ્રભ જિન સ્તવન શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હેવાર્થે જે હલિયાજી; આતમગુણ અનુભવથી મલિયા, તે ભાવભયજી ટળિયાજી - શ્રી ચં. ૧ શ્રી ચંદ્રપ્રભુની સ્તવના કરતાં તેમની સેવાની ઓળખાણ પણ આપે શું છે. જે મુમુક્ષુને શ્રી ચંદ્રપ્રભુની ચરણની સેવા કરવાની – ભક્તિ શું કરવાની વિધિપૂર્વક ટેવ પડી છે, એટલે કે જ્ઞાની પુરુષના આશ્રમમાં શું રહીને તેની આજ્ઞા પ્રમાણે ભક્તિ-સાધના કરે છે તેને આત્મગુણોનો હું અનુભવ થાય છે. તેમ થવાથી તે જીવને ચાર ગતિ રૂપ સંસારમાં હું પરિભ્રમણનો ભય એટલે કે જન્મ-મરણ, સ્વરૂપરોધક કર્મથી છૂટી હું જાય છે. કારણ જ્ઞાની પુરુષનો આશ્રય મળે એટલે કાર્ય-આત્મ સાધનાધારા $ આત્માના સ્વરૂપનો અનુભવ થાય અને અનુક્રમે શ્રી ચંદ્રપ્રભુ સ્વામી જેવો થઈ જાય. શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી ] ૮૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy