SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અગમ અગોચર અમર તું, અવ્યય ઋદ્ધિસમૂહ હો, જિ. વર્ણ, ગંધરસ ફરસવિષ્ણુ, નિજભોકતા ગુણવ્યૂહ હો. જિ... શ્રી સુ. ૩ હે પ્રભુ, આપ અગમ એટલે સહેલાઇથી ઓળખી ન શકાય તેવા છો. એટલે કે પોતાના સ્વચ્છંદે આપને ઓળખવા મથે તો આપ અગમ છો. આપ ઇન્દ્રિયોથી અગોચર એટલે દેખી શકાય નહીં તેવા આપ છો. વળી આપ મૃત્યુંજયી થયા છો તેથી અમર કહેવાઓ છો. આપ સહજ ગુણોમય છો એટલે જ્ઞાનાદિક ગુણોથી આપ અન્વયી છો એટલે એનામય જ છો. તેનાથી જુદું સ્વરૂપ આપનું નથી. વળી આપ ઋદ્ધિ કહેતાં જ્ઞાનાદિ ગુણરૂપી સંપદા તેના સમૂહરૂપ છો. અને કષાયાદિ દોષના નાશથી અકષાયાદિ જે ભાવ ઉપજ્યા છે તે આપનો અન્વય ગુણ કહીએ તેના સમૂહરૂપ છો. વળી પુદ્ગલના ગુણધર્મ વર્ણ, ૨સ, ગંધ અને સ્પર્શથી આપ રહિત છો અને પોતાનો જે સ્વરૂપધર્મ તેના ભોકતા છો અને ગુણના સમૂહરૂપ છો. અક્ષય દાન અચિંતના, લાભ અયત્ને ભોગ હો, જિ. વીર્ય શક્તિ અપ્રયાસતા, શુદ્ધસ્વગુણ ઉપભોગ હો. જિ... શ્રી સુ. ૪ આપના અનંતગુણો પરસ્પર સહકારરૂપ અક્ષયદાન પ્રદાન કરે છે. તેમજ અક્ષયદાન આપવા માટે પણ આપ સમર્થ છો. અને અનંત ગુણોની સહાયવડે આપ અણચિંત્યા લાભના ધણી છો, તેથી જ્ઞાનાદિ ગુણોનો અનંત લાભ પણ થાય છે. આપની વીર્ય શક્તિ સંપૂર્ણપણે સ્કુરાયમાન થયેલ હોવાથી પ્રતિ સમયે કોઇપણ પ્રયત્નવગર અનંત પર્યાયને જાણવા દેખવારૂપ ભોગવટો કરી રહ્યા છો. તેથી શુદ્ધ સ્વગુણના ઉપભોકતા પણ આપ થયા છો. એકાંતિક આત્યંતિકો, સહજ અમૃત સ્વાધિન હો, જિ. નિરુપચરિત નિર્દેન્દ્ર સુખ, અન્ય અહેતુક પીન હો. જિ. ... શ્રી. સુ. ૫ શ્રીમદ્ દેવચંદ્રજી કૃત Jain Education International ચોવીસી For Personal & Private Use Only ૭૯ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy