SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ * હું ઉપયોગી તત્ત્વજ્ઞાન વિષે અપૂર્વ પ્રકાશ જોવા મળે છે. આત્મલક્ષી સાધનાના ક્ષેત્રમાં ઉપાદાન અને નિમિત્ત બન્ને સમાન ઉપયોગી છે. તેની સમજણ જેટલી વધુ સ્પષ્ટ હોય તેટલા પ્રમાણમાં સાધનામાં ઉંડાઈ આવે છે અને તે સાધનામાં આનંદ ઉલ્લાસ પણ આવે છે. શુભ અને શુદ્ધ આશયથી કરવામાં આવતી ભગવાનની પૂજા, ૩ હું ભક્તિ, સ્તવના આત્માને પવિત્રતા બક્ષે છે, નિર્મળ બનાવે છે, શુદ્ધ બનાવે છે. અને પરાભક્તિને પ્રાપ્ત થયેલો સાધક સ્વયં ભગવાન બની જાય છે. આ છે ભક્તિ સ્તવનાનો મહિમા, પણ જો તે યથાર્થ સમજણ સાથે કરવામાં આવે તો જ. ચોવીસીની રચના ગુજરાતી ભાષામાં હોવા છતાં તે તત્ત્વસભર શું છે, ગંભીર છે, રહસ્યોથી ભરપૂર જણાય છે. જે સુક્ષ્મબોધને યથાર્થપણે શું સમજે અને જ્ઞાનીપુરૂષો દ્વારા કહેવામાં આવેલા ઉપદેશને અનુસરે તો હું અવશ્ય પોતાના આત્માને અનુભવી શકે. તમે જેવા ભાવથી જેની ભક્તિ કરો, તેના જેવા તમો બની શકો. પણ આ ભક્તિ નિષ્કામ અને મોક્ષલક્ષી હોવી જોઇએ. ભક્તિયોગ છે હું દ્વારા ચિત્તની મનની) નિર્મળતા થાય છે અને તેથી પરમાત્મા પ્રત્યે હું પ્રીતિ (પ્રશસ્તભાવ) વધે છે અને ક્રમશઃ ધ્યાનયોગની સાધના દ્વારા પ્રગતિ કરીને સ્થિતિ મેળવી શકે છે. ધ્યાનયોગના સતત અભ્યાસથી | સર્વ પ્રસંગોમાં સમતા-સમભાવ થાય છે અને તેથી સર્વ બાહ્યવૃત્તિઓનો ઉચ્છેદ-નાશ થાય છે. આ ચોવીસીમાં અનુક્રમ પ્રમાણે કયા કયા વિષયો પર ભાર મૂકવામાં હું આવ્યો છે તેના પર વિચાર કરીએ. ૧. પ્રથમ સ્તવનમાં પ્રેમ-પ્રીતિ કેવી હોવી જોઇએ અને કોના પર છે શું હોવી જોઇએ તેના પર ભાર છે. પરમાત્માની પ્રીતિ, ભક્તિ અને ; પ૪ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy