SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કૃષ્ટ વીર્યનિવેસે, યોગ ક્રિયા નવિ પેસે રે; યોગતણી ધ્રુવતાને લેશે, આતમ શક્તિ ન બેસે રે. ૪ અર્થ : હે ભગવાન ! મારા આ ઉત્કૃષ્ટ વીર્યની બળવત્તા એટલી છે કે મન, વચન, કાયાના યોગની ક્રિયા અંદર સ્વભાવમાં પેસતી નથી અને મન, વચન, કાયાના યોગ સ્થિર થવાથી આત્માની શક્તિને ડગાવતા નથી. કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાય તેહણે અયોગી રે. ૫ અર્થ : ભોગી જેમ કામ ભોગવતા તેમાં એકતાન થઈ જાય છે, તેમ હું આત્મામાં એકરસ- લીન થઈ સ્વભાવનો ભોગી બન્યો છું. જ્યારે શૂરવી૨૫ણે આ આત્મામાં ઉપયોગ દૃઢ થાય છે ત્યારે એ આત્મા મન, વચન, કાયાના યોગ હોવા છતાં અયોગી જેવો બને છે. ૫૨ વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તેમચી વાણે રે, ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, નિજધ્રુવપદ પહિચાણે રે, ૬ અર્થ : હે ભગવાન ! શૂરવી૨૫ણાનું મૂળ સ્થાન તો આત્મા જ છે, એમ તારી અપૂર્વ વાણીથી મેં જાણ્યું છે, અને એમ પણ જાણ્યું છે કે જેવું ધ્યાનબળ અને જેવી વિશેષ જ્ઞાનની શક્તિ એ પ્રમાણે પોતાનું અચળપદ અને સ્વભાવ પોતે અનુભવી શકે છે. આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. ૭ અર્થ : હે ભગવાન ! આપના બોધ પ્રમાણે છેવટે તો સાધનનું આલંબન પણ પ૨પરિણિત જ છે એમ સમજીને ત્યાગી દેવાનું છે. તેથી અક્ષય દર્શન, અક્ષય જ્ઞાન અને અક્ષય વીતરાગપણું પ્રાપ્ત થાય અને તેથી આનંદઘન રૂપી ભગવાન આત્મા પૂર્ણપણે પ્રગટ થાય. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Jain Education International વીર-રાજપથદર્શની - ૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy