SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ o શું અર્થ ઃ આપે પ્રેમરૂપ કલ્પતરૂ છેદીને, ધુતારાનો જોગ કર્યો છે. શું તમને આવી સલાહ આપવાવાળો, જગશૂરો ચતુર ગુરુ કોણ મળ્યો એ મને કહો. મારું તો એમાં કયું હી નહીં રે, આપ વિચારો રાજ, મ.. રાજસભામાં બેસતાં રે, કિસડી બધસી લાજ. મ૭ અર્થ: મારું તો એમાં કાંઈ બગડવાનું નથી, પણ જરા વિચારો તો ખરા કે રાજસભામાં બેસશો ત્યારે આપની આબરૂ કેટલી વધશે ? પ્રેમ કરે જગ જન સહુ રે, નિર્વાહે તે ઓર, મ0 $ પ્રીત કરીને છોડી દે રે, તેણું ન ચાલે જોર. મ. ૭ અર્થ જગતના લોકો પ્રેમ તો કરે છે પણ તેમાં કોઈ વિરલા જ એ પ્રેમ નિભાવે છે. પ્રીત કર્યા પછી છોડી દે તેની પાસે કાંઈ જોર ચાલી શકે નહીં. જો મનમાં એવું હતું રે, નિરપત કરત ન જાણ, મ. નિસપત કરીને છાંડતાં રે, માણસ હુવે નુકશાન. મ. ૮ અર્થ : જો તમારા મનમાં એવું હતું તો સગપણ કર્યાની જાણ નહોતી કરવી. એકવાર સંબંધ કરીને પછી તોડતાં કોઈ માણસનું નુકશાન થઈ જાય, એનો તો કાંઈક વિચાર કરો. દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વાંછિત પોષ, મ. સેવક વાંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ. મ. ૯ અર્થ: તીર્થકર ભગવાન જ્યારે વર્ષીદાન આપે ત્યારે એના સામે િહાથ લાંબો કરનાર પોતાનું ઇચ્છિત પામે. પણ આ સેવકને પોતાનું ઇચ્છિત આપ પાછા ન ફરો તેથી પ્રાપ્ત થતું નથી. તો તેમાં આ સેવકનો જ દોષ હું ગણું છું. ૪૬ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy