SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુગમથી સમજવામાં આવે તો લોક અને અલોકનું અવલંબન છે. લોકાયતિક કુખ જિનવરની, અંશ વિચારી જો કીજે રે; તત્ત્વવિચાર સુધારસધારા, ગુરુગમ વિણ કેમ પજે રે ? ૪ અર્થ : જો વિચાર કરીએ તો નાસ્તિક દર્શન છે તે અંગે જૈન છે દર્શનની કુખ સમાન છે એમ સમજાય છે પણ આવી તત્ત્વવિચારરૂપ સુધારસધારા ગુરુગમ વિના કેમ પીવાય? જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે. ૫ અર્થઃ જિનેશ્વર ભગવાને ભાખેલ જૈનદર્શન બધા દર્શનોમાં, શરીરમાં શું મસ્તકની જેમ, ઉત્તમ અંગ છે. અંતરંગથી અને બહિરંગથી બધી રીતે $ બધા દર્શનોમાં જૈન દર્શન ઉત્તમ છે. એ દર્શનનો પરિચય કરીને, સંગ શું કરીને શરીરનાં જુદા જુદા અંગો પર અક્ષરોની સ્થાપના કરીને, ધ્યાન કરનારા યોગી પુરુષો સાધના કરે છે. જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શને જિનવર ભજના રે, સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજનારે. ૬ શું અર્થ જૈન દર્શનમાં બધાય દર્શન સમાય છે, અને એ છયે દર્શનમાં $ જિનવરના દર્શનનો અંશ છે. જેવી રીતે સમુદ્રમાં બધી નદીઓ સમાય શું છે અને બધી નદીઓમાં તેના મુખ આગળ સાગરનો અંશ રહે છે તે પ્રમાણે. જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે, હું ભંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. ૭ ( અર્થ : આપણે વીતરાગ પરમાત્માના સ્વરૂપમાં તલ્લીન થઈને હું જિન તીર્થકરને આરાધીએ તો જિનવર એટલે કે ભગવાન ચોક્કસ $ થઈએ. જેમ ભમરી ઇયળને ચટકો મારે છે તો તે ઇયળ થઈને હું જગતને જુએ છે તેમ. શ્રી આનંદઘનજીની ચોવીસી ૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy