SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : સુવિધિ જિનેશ્વરના ચરણમાં નમસ્કાર કરીને શુભ કરણી કરવી અને અતિ ઘણો ઉમંગ લાવીને સવારમાં વહેલા ઊઠીને પ્રભુની કે પૂજા કરવી. દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહ તિગ પણ અભિગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે. ૨ અર્થ : દ્રવ્યથી અને ભાવથી પવિત્ર થઈને હોંશપૂર્વક દેરાસર જ જવું, દશ ત્રિક અને પાંચ અભિગમ સાચવીને પ્રભુ પૂજામાં એકાગ્ર કે મનવાળા સર્વ પ્રથમ થવું જોઈએ. કુસુમ અક્ષત વરવાસ સુગંધો, ધૂપ દીપ મન સાખી રે; અંગપૂજા પણ ભેદ સુણી એમ, ગુરુમુખ આગમ ભાખીર. ૩ અર્થ : ફૂલ, ચોખા, ઉત્તમ વાસક્ષેપ, સુગંધી ધૂપ, દીપ. આ પ્રમાણે પાંચ પ્રકારે મનની સાક્ષીએ પ્રભુ પૂજા કરવી જોઈએ. તેમાં કેટલીક અંગપૂજા છે. તેના ભેદ વગેરે ગુરુમહારાજના મુખેથી સાંભળીને કે હું આગમમાંથી જાણીને એ પ્રમાણે અંગપૂજા કરવી જોઈએ. એહનું ફલ દોય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે; આણાપાલણ ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુર મંદિર રે. ૪ અર્થ પૂજાનું ફળ બે પ્રકારે હોય છે, એક અનંતર ફળ અને એક જે પરંપર ફળ મળે છે. ચિત્તપ્રસન્નતાપૂર્વક ભગવાનની આજ્ઞાને અનુસરે છે તો તેથી મનુષ્યગતિ કે દેવગતિ પામીને પછી મોક્ષ પામે. ફૂલ અક્ષત વર ધૂપ પડવો, ગંધ નેવેદ્ય ફલ જલભરી રે; અંગ અગ્રપૂજા મળી અડવિધ ભાવે ભવિક શુભ ગતિ વરી રે. ૫ : અર્થ: ભવિક જન ફૂલ, ચોખા, ધૂપ, અગરબત્તી, દીવો, નિવેધ, ફળ અને જળ ભરેલા કળશ – એનાથી અંગપૂજા અને અગ્રપૂજા મળીને અષ્ટ પ્રકારે પૂજા ભાવથી કરે તો શુભગતિને પામે છે. ૧૬. વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy