SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. શ્રી પાર્શ્વનાથ સ્તવન વામાનંદન હો પ્રાણ થકી હો પ્યારા નહિ કિજે હો નયણ થકી ક્ષણ ન્યારા. પુરિસાદાણી શામળ વરણો, શુદ્ધ સમકિતને ભાસે; શુદ્ધ પુંજ જિણે કીધો તેહને, ઉજજવલ વરણ પ્રકાશે – વામા. ૧ હે વામામાતાના નંદ ! આપ મને પ્રાણથી પણ વધારે પ્રારા છો $ માટે મને આપની નજરથી એક ક્ષણ માટે પણ દૂર કરશો નહીં. હે છું પ્રભુ ! પુરિસાદાની એટલે કે પુરુષોમાં પ્રધાન છો વળી આપનો $ વર્ણ શ્યામ છે પરંતુ આપે મિથ્યાત્વ મોહનીયને-દર્શન મોહનીયને શું હઠાવીને શુધ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કરેલું છે અને તેથી શુદ્ધ જ્ઞાનાદિ ગુણોનો પુંજ પ્રગટાવેલ હોવાથી આપ આત્યંતરપણે ઉજ્વળ ગુણને પ્રકાશો છો. તુમ ચરણે વિષધર પણ નિરવિષ, દંસણે થાય બીડૌજા, હું જોતાં અમ શુદ્ધ સ્વભાવ કાંન હુવે, એહ અમે ગ્રહ્યા છો. વામા. ૨ હે પ્રભુઆપનું લાંછન સર્પ છે પણ કાયમ તે નિર્વિષ રહે છે. દર્શન માત્રથી ઇન્દ્ર થાય છે. તો અમે પણ આપના દર્શન કરવાથી શુદ્ધ સ્વભાવવાળા કેમ ન થઈએ ? અર્થાત થઈશું જ. માટે જ અમે આપને વળગીને રહ્યા છીએ. કમઠરાય મદ કિણ ગિણતીમાં, મોહ તણો મદ જોતાં; તાહરી શક્તિ અનંતી આગળ, કેઈ કઈ મર ગયા ગોતાં...વામા. ૩ હે પ્રભુ ! આપે તો અનંતકાળનો જે મોહરાજા તેનો પણ મદ િઉતારી નાખ્યો તો બિચારા કમઠનો મદ ઉતારવો કઈ ગણત્રીમાં છે. ' વળી આપની અનંત શક્તિ આગળ અન્ય એકાંત મિથ્યાત્વથી ભરેલા છે પણ હાર ખાઈ ગોથાં ખાતા ખાતા મરી ગયા ! ફરી હાથમાં આવ્યા શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી | ર૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy