SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. શ્રી અરનાથ સ્તવન અરનાથ અવિનાશી, હો સુવિલાસી ખાસી ચાકરી, કાંઈ ચાહું અમે નિશ દિશ; અંતરાયને રાગે, હો અનુરાગે કણપરે કીજીએ, કાંઈ શુભ ભાવે સુજગીશ. ” અર. ૧. હે અરનાથ ! આપે આપના આત્માને સંપૂર્ણપણે કર્મ રહિત કરી અવિનાશી પદની પ્રાપ્તિ કરી લીધેલ છે, વળી આપ આત્મલક્ષ્મી ! (ગુણોનો ખજાનો)માં રમણતા કરતા હોવાથી સુવિલાસી કહેવાઓ હું છો. હે પ્રભુ ! આપની સેવા ભક્તિ સારી રીતે કરવાનું હંમેશા શું ઇચ્છીએ છીએ પણ આ કરવામાં મારું અંતરાયકર્મ તેમજ પુદ્ગલ પ્રત્યેનો રાગ વિઘ્ન કર્યા કરે છે તેથી સતત સેવા ભક્તિ થઈ શકતી નથી તો હવે મારે તેને કેવી રીતે કરવી ? જો મારામાં કાંઈક શુભ ભાવ જાગૃત થાય તો કાંઈક આત્મસંપદા પ્રાપ્ત કરવા તરફ આગળ વધી શકું. સિદ્ધ સ્વરૂપી સ્વામી, હો ગુણધામી અલખ અગોચરું, કાંઈ દીઠા વિણ દિદાર, કિમ પતીજે કીજે હો, કીમ લીજે ફળ સેવા તણું, કાંઈ દીસે ન પ્રાણ આધાર... અર. ૨ આઠ કર્મોને ક્ષય કરીને આપ સિદ્ધ-શુદ્ધ સ્વરૂપી બની ગયા છો, તેથી સ્વામી કહેવાઓ છો, સર્વ દોષ રહિત થઈ ગુણના ભંડારનો હું ભોગવટો કરનાર એવા આપ છો. છતાં પણ આપનું સ્વરૂપ “અલખ' હોવાથી બાહ્ય આંખો વડે લક્ષમાં આવી શકતા નથી, વળી આપ હું અગોચર છો. સ્વચ્છેદે આપને મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો 3 પ્રાપ્ત નહીં થાવ એવા અગોચર છો. વળી આપનું મુખ દીઠા વિના સેવારૂપ ચાકરી કેવી રીતે સિદ્ધ થાય? આપની પ્રતીતિ કેમ થાય અને શું આપની સેવાનું ફળ કેમ મળે તેનો આધાર મને જણાતો નથી. શ્રી મોહનવિજયજી કત ચોવીસી ૨૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy