SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણો, દયાનિધિ દીન પર દયા કીજે. તા. ૧ હે નાથ ! હે પ્રભુજી ! મારા જેવા અબુધ સેવક કે જે આજ્ઞા પાલનમાં પણ અસમર્થ છે, તેને નામથી સેવક જાણીને આ સંસારમાંથી ઉગારી લે, ભવભ્રમણના દુઃખથી છોડાવી દે, તારા વિના બીજા કોને કહેવું ? આ નામ માત્રના સેવકને તારવા રૂપ સુયશ જગતમાં લ્યો એમ કહું છું. હે પ્રભુ ! આ જીવને પોતાનો માન અને હું તો અવગુણ, દોષોથી ભરેલો છું. એમ જાણવા છતાં હે દયાના સાગર આ દીન પર તારી કૃપા વરસાવ કે જેથી ભવનો વિસ્તાર થઈ જાય. રાગ-દ્વેષે ભર્યો, મોહ વેરી નડ્યો, લોકની રીતિમાં ઘણુંયે રાતો; ક્રોધવશ ધમધો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, ભમ્યો ભવમાંથી હું વિષયમાતો. તા. ૨ ) હે પ્રભુ ! હું રાગદ્વેષથી ભરેલો છું. તેથી મોહનીય કર્મરૂપી વૈરી છે કે મને નડેલો છે. લૌકિક નિયમોમાં રક્તમાનપણું થઈ રહ્યું છે, લોકના ૪ હું પ્રવાહમાં જ ચાલતો રહ્યો છું, તેનાથી ક્રોધ આદિ કષાયથી ધમધમી છે રહ્યો છું અને આત્માના શુદ્ધ ગુણ જેવા કે સમ્યજ્ઞાન-દર્શન- ચારિત્ર ? આદિ તેમાં રમણતા કરી નહીં અને ભવભ્રમણમાં લઈ જનારા એવા છે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મદમાતો થઇને રાચી રહ્યો છું. - આદર્યું આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વલી, આત્મ અવલંબવિનું, તેહવા કાર્ય તિણે કો ન સીધો. તા. ૩ લોકોના આચરણ તરફ નજર કરીને વિષ, ગરલ, અન્યોન્ય આ અનુષ્ઠાનનું જ આચરણ કર્યું, તેમજ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને આ | શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી ૧૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy