SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ રાગદ્વેષ-શુભ અશુભ ભાવ વિગેરે કાંઈ ન કર્યું. શુદ્ધ પરિણામને પારિણામિક ભાવે વીર્યગુણને ફોરવી સ્વ પારિણામિકતાના કર્તા થઈને પરમ ઉત્કૃષ્ટ અક્રિયપણારૂપ અમૃતનું પાન આપે કર્યું. શુદ્ધતા પ્રભુ તણી આત્મભાવે રમે, પરમ પરમાત્મતા તાસ થાયે; મિશ્ર ભાવે અછે ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એકત્વ તુજ ચરણ આવે. સ. પ નિરાવરણતા તથા અનંતગુણ ભોગીપણારૂપ જે પ્રભુતા તેને આત્મભાવે, પોતાને આત્મભાવે ૨મણતા કરે અને એમ કરીને પરમાત્માપણું આપને પ્રાપ્ત થાય. મિશ્ર ભાવે-ક્ષયોપશમ ભાવે ત્રિગુણસમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર તેની ભિન્નતા છે. સાધક સવિકલ્પ હોવાથી તેની ભિન્નતા છે. તેનું એકત્ત્વપણું-અભેદતા હે ભગવંત ! આપના ચરણના આશ્રયે આવવાથી જ થાય. જ્ઞાનમાં જ સ્થિરત્વ પરિણતિ તે અભેદતા છે. ક્ષયોપશમ ચલ વીર્યતાએ ચેતના પર્યાયની પ્રવૃત્તિ અસંખ્ય સમયી હતી તે ભાસન પ્રવૃત્તિ પછી ક્રમે કારણ કાર્યમાં સ્થિરતા પરિણતિએ હતી તે ક્ષીણ મોહ કાળે કેવળજ્ઞાન થયે નિરાવરણતાએ એક સમયી થઈ. ઉપશમ રસ ભરી, સર્વ જન શંકરી, મૂર્તિ જિનરાજની આજ ભેટી; કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે, તિણે ભવભ્રમણની ભીડ મેટી. સ. ૭ ઉપશમરસથી ભરપૂર સર્વ લોકને કલ્યાણકારી એવી જિનેશ્વર ભગવંતની મૂર્તિનો ભેટો થઈ ગયો. તેથી કાર્યનું કારણ પ્રાપ્ત થવાથી, શ્રદ્ધારૂપે પરિણમવાથી ભવભ્રમણની ભીડ મટી એટલે કે આત્મસિદ્ધતા શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી Jain Education International For Personal & Private Use Only ૧૪૩ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy