SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સત્તા તે આત્માનો મૂળધર્મ જે નિરામય, તેનો આધાર સુતત્ત્વ છે.. હું આતમ આતમ કર્તા કારજ સિદ્ધતા રે, તસુ સાધન જિનરાજ; પ્રભુ દીઠે પ્રભુ દીઠે કારજ રુચિ ઉપજે રે,પ્રગટે આત્મ સમાજ...ઓ. ૯ કે જે સ્વરૂપનું કર્તાપણું વિરતિપણું, તત્ત્વધ્યાન, તત્ત્વ તન્માદિક કર્તા છે તેનાથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટે. આ કાર્ય સિદ્ધતા સકલ ગુણ $ પ્રગટવાપણું સાધન નિમિત્ત કારણ શ્રી જિનેશ્વર ભગવંત છે, જે સર્વજ્ઞા ડું છે. સ્વસત્તાનો પ્રાગુભાવ તે કાર્યની રુચિ ઉત્પન્ન થવાનું કારણ છે, તેથી મોક્ષનો કર્તા આત્મા ખરો પણ મોક્ષ કાર્યની રુચિ વિનાનું કર્તાપણું છે પ્રગટે નહીં અને તે રૂચિ શ્રી અરિહંતનો મેળાપ થવાથી ઉત્પન્ન થાય શું છે, તે જ રુચિ મોક્ષનું કારણ છે. અને તેમનો મેળાપ થવાથી આત્મસંપત્તિનો ખજાનો પ્રગટ થાય છે. હું વંદન વંદન સેવન વળી પૂજના રે, સ્મરણ સ્તવન વળી ધ્યાન; દેવચંદ્ર દેવચંદ્ર કીજે જિનરાજની રે, પ્રગટે પૂર્ણ નિધાન... ઓ. ૧૦ { તે માટે વંદન, નમન, સેવાભક્તિ આજ્ઞાપાલન સાથેની, પ્રભુપૂજા, હું તેમના ગુણો સંભારવારૂપ સ્મરણ, તેઓના ગુણોનું સ્તવન કરવું અને તેમનું ધ્યાન ચિત્તની એકાગ્રતાથી કરવું. શ્રી દેવચંદ્ર સ્વામી સ્તુતિ કરતા કહે છે કે શ્રી જિનરાજ પરમાત્માની સેવા ભક્તિ કરતાં પોતાની પૂર્ણ પરમાત્મતા નીપજે, ઉત્પન્ન થાય અને પોતાની અવિનાશી એવી આત્મસંપત્તિ પ્રગટે. ૨૧. શ્રી નમિનાથ જિન સ્તવન શ્રી નમિ જિનવર સેવ, ઘનાઘન ઉનયો રે, ઘ. દીઠાં મિથ્યારોર, ભાવિક ચિત્તથી ગમ્યો રે; ભા. શુચિ આચરણા રીતિ, તે અભ્ર વધે વડા રે, તે. આતમ પરિણતિ શુદ્ધ, તે વીજ ઝબુકડા રે, તે. ૧ . શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી | ૧૩૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy