SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ માંગુ છું કે મને આપના જેવો આત્મા પ્રાપ્ત કરાવો. તેના પ્રત્યે પ્રેમ ઉપજાવો. આપના જેવો જ્યારે થઇશ ત્યારે તે દિવસને ધન્ય માનીશ. અસ્તિ સ્વભાવ રુચિ થઈ રે, ધ્યાતો અસ્તિ સ્વભાવ; દેવચંદ્ર પદ તે લહે રે, પરમાનંદ જમાવો રે. કું. ૯ હે પ્રભુ ! અસ્તિ સ્વભાવની રુચિ થઈ તેથી અસ્તિ સ્વભાવનું ધ્યાન કરું છું. દેવોમાં ચંદ્ર સમાન જે આપનું પદ તે મને પ્રાપ્ત થશે અને પરમાનંદ પ્રાપ્ત થશે. +& ૧૮. શ્રી અરનાથ જિન સ્તવન પ્રણમો શ્રી અરનાથ, શિવપુર સાથ ખરોરી; ત્રિભુવન જન આધાર, ભવનિસ્તાર કરોરી. ૧ ... .. શ્રી અરનાથ પ્રભુને વંદન કરો. વારંવાર વંદન કરો, કારણ કે તેઓ જ શિવપુર પહોંચાડવાને માટે ખરા સાથ આપનાર છે. આપ ત્રણે ભુવનના લોકોના આધાર છો, ચાર ગતિરૂપ સંસાર પરિભ્રમણ મારું થઈ રહ્યું છે તેનો નાશ કરો. ભવ ચોરાસીમાં રખડવાની મદદ કરો. મને મોક્ષમાર્ગ બતાવો કે જેથી આપના જેવો થઈ શકું. કર્તા કારણ યોગ, કારજ સિદ્ધિ લહેરી; કારણ ચાર અનુપ, કાર્યાર્થી તેહ ગ્રહેરી. ૨ Jain Education International ... મોક્ષ માટે કારણ કાર્યની વાત આ કડીમાં કહે છે. જેમ જ્ઞાનનો કર્તા આત્મા છે તેમ સંપૂર્ણ સિદ્ધત્ત્વનો કર્તા પણ આત્મા જ છે. તે કર્તા જ્યારે કારણરૂપી યોગને મેળવે ત્યારે તેના કાર્યની સિદ્ધિ થાય છે. એકલો કર્તા તે કારણ સામગ્રી વગર કાર્યને મેળવી શકે નહીં, કરી શકે નહીં. કારણરૂપી સામગ્રી મળે ત્યારે જ કાર્ય નીપજે છે. તે કારણના શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી For Personal & Private Use Only ૧૨૧ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy