SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ બોધને જીવનમાં ચરિતાર્થ કરી અમારું આત્મકલ્યાણ સાધી લઇએ, એ જ એમનો ઉપકાર માનવાનો ઉચિત પ્રયાસ છે, એમ અમે માનીએ છીએ. અમારા ૫. પૂ. ગુરુદેવના સૂચન અને આજ્ઞા અનુસાર આ પુસ્તકને તૈયાર કરી આપનાર આત્માર્થી બેનશ્રી વસંતબેનનો, રસિકભાઈનો ઉપકાર માનીએ તે તેમને નહીં ગમે. કેમ કે તેઓ માને છે કે હું તો માત્ર સાધન છું. કોઈ દિવ્ય શક્તિ જ આવાં પુણ્યકાર્યો આ સાધન દ્વારા કરી રહી છે. આમ છતાં એમના આ કાર્યને બીરદાવતાં અમારા ૫. પૂ. ગુરુદેવ૫. પૂ. બાપુજીએ ઉચ્ચારેલ શબ્દો અત્રે મૂકવાનું અમને મન થાય છે - “તમે તો અમારું ઝાંખરા જેવું હતું તેને સુંદર બાગ જેવું બનાવી દીધું !” - આ પુસ્તકના મુદ્રણકાર્યમાં આત્માર્થી ભાઈશ્રી રસિકભાઈએ જે સમય અને શક્તિનો ભોગ આપી સહકાર આપેલ છે તે માટે તેમનો ઉપકાર માનવો જોઇએ. પરંતુ તેઓ તો સામેથી ઉપકાર માને છે કે, મારા ધન્ય ભાગ્ય કે મને સમય અને શક્તિનો સદુપયોગ કરવાની આવી અમૂલ્ય તક આપી. માત્ર એટલી અપેક્ષા કે આ પુસ્તકના નિદિધ્યાસનથી અધિકારી તૃષાવંતની તરસ છીપાય, અતૃષાતુર આ પુસ્તકના વાચન મનનથી તૃષાતુર બને. અમારી અનેકવિધ ઓછપને લીધે આ શ્રી સદૃગુરુપ્રસાદમાં જે કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તેને માટે વાચક વર્ગને ક્ષમાપ્રાર્થના. Jain Education International પ્રકાશન સમિતિ શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ સાયલા VI For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy