SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અયોગીને સિદ્ધતા નિપજાવવી છે, માટે જેટલું કાર્ય અધૂરું, તેટલું સાધન કહીએ અને જે સાધના તે સેવા છે, માટે સાધનાનો અંત અયોગી કેવળી ગુણઠાણે છે, એટલે સાધનાનો એવંભૂત અયોગી કેવલી છે. તેથી ઉત્સર્ગ ભાવસેવા અયોગી ગુણઠાણે કહી અને સિદ્ધનો એવંભૂત તે મુક્ત આત્મા છે. એ રીતે સાધના ઓળખાવી. જે સાધના કરતાં પોતાના આત્માના ગુણનું પ્રગટપણું થાય તેને આત્મસેવા કહેવામાં આવે છે. જેટલી સાધના તેટલી અપવાદ સેવા જાણવી. અને સાધના કરતાં કરતાં જેટલી જેટલી નવી આત્મશક્તિ પ્રગટે, તે ઉત્સર્ગ ભાવસેવા જાણવી અને શુદ્ધ નિષ્પન્ન સિદ્ધ અવસ્થા તે સાધ્ય છે. જે પ્રગટ શુદ્ધ આત્મધર્મપણે આત્મ સંપૂર્ણતા માટે થતી સેવા, તે ઉત્સર્ગ ભાવસેવા જાણવી. જે ઉત્સર્ગ ભાવસાધના તે કાર્ય છે, અને નિમિત્ત અવલંબી અપવાદ ભાવસેવા તે કારણ છે. કારણ ભાવ તે અપવાદે, કાર્યરૂપ ઉત્સર્ગેજી; આત્મભાવ તે ભાવ દ્રવ્ય પદ, બ્રાહ્ય પ્રવૃત્તિ નિઃસર્ગેજી. - શ્રી. ૯ - જેટલો કારણભાવ, તે સર્વ અપવાદે જાણવો, અને જેટલું કાર્ય જે સ્વગુણ નિષ્પત્તિરૂપ તેને ઉત્સર્ગ જાણવો. જેટલું બાહ્ય પ્રવર્તન તે એટલે કે વંદન, પૂજન-ભક્તિ આદિ બાહ્ય પ્રવૃત્તિ ને દ્રવ્ય સેવા છે. કારણભાવ પરંપર સેવન, પ્રગટે કારજ ભાવોજી; કારજ સિદ્ધે કારણતા વ્યય, શુચિ પારિણામિકભાવોજી, શ્રી. ૧૦ કારણભાવ એટલે શ્રી અરિહંતની પરંપરાયે દ્રવ્યભાવના કરતાં કરતાં ભાવસેવા પ્રગટે, ભાવસેવા પ્રગટવાથી ઉત્સર્ગ ધર્મનું આર્વિભાવપણું થાય. એટલે કે શુદ્ધ સ્વરૂપી એવા આત્માનો અનુભવ થાય અને જે કાર્ય નિપજાવવા માટે કારણતા હતી તે કાર્ય થતાં કારણતાનો નાશ શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી Jain Education International For Personal & Private Use Only ૮૯ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy