SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ - જૈન દર્શનનો સાર • હું ત્રિકાળી શુદ્ધચેતન્ય જ્ઞાયક ભાવ છું. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંતસુખ એવા અનંત ગુણોનો ભંડાર છું. મહા વૈભવશાળી છું. હું જ્ઞાનાનંદ સ્વરૂપી અજર, અમર, અવિનાશી એવો ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ સદશા વર્તતો-સ્વયં પ્રકાશમાન એવો જ જ્યોતિ છું. • હું સ્વતંત્ર છું, સ્વાધીન છું અને મારું સર્વ કાર્ય પૂર્ણ કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છું. મને મારા કાર્ય માટે રંજ માત્ર પણ બીજા કોઈની સહાયની અપેક્ષા નથી. હું મારામાં પરિપૂર્ણ છું. સર્વથા સર્વથી ચારો જ છું. આવો અનંત ગુણોનો ઘનકંદ-નિજ સુખનો ધણી-વર્તમાન અવસ્થામાં પોતાને દુઃખી કેમ માની રહ્યો છે. જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુ:ખ અનંત.... આ જીવને અનાદિ કાળથી એક સમય માટે પણ પોતાના સાચા સ્વરૂપનું ભાવભાસન થયું નથી અને એની પોતાના સ્વરૂપની ભ્રાંતિના અપરાધના ફળ સ્વરૂપ અનંત સંસારનું પરિભ્રમણ કરી રહ્યો છે. અનંત મહા દુઃખ ભોગવી રહ્યો છે. • તો મારું સ્વરૂપ શું છે ? * છ દ્રવ્ય સ્વરૂપ આલોકમાં અનંતદ્રવ્ય છે, એ બધામાં એ બધા અનંતથી અલગ હું એક જીવ દ્રવ્ય છું * સત્ વસ્તુનો સ્વભાવ છે એટલે સતરા નક્ષમ,૩૬, ચ, ત્રચયુવત સત્ અર્થાત પ્રત્યેક વસ્તુ સત્ સ્વભાવી હોવાથી પોત પોતાના સ્વભાવમાં સદા શાશ્વત બની રહે છે અને એ સદાનિત્યબની રહેવા છતાં પણ પ્રત્યેક સમય પોતે પોતાથી પોતાની અવસ્થાઓ પલટાવતી અનંતકાળ સુધી સત્તામાં ટકી રહે છે. * ગુજ પર ક્યું સૂત્ર અનુસાર પ્રત્યેક દ્રવ્યના સ્વયં પોતાની ગુણવત્તા પ્રમાણે, શક્તિઓ, યોગ્યતા, ગુણ હોય છે તથા તે દ્રવ્ય પોતપોતાના ગુણમાં નિરંતર પલટન કરતાં જ રહે છે જે પલટવાની અવસ્થાને પર્યાયક છે. એટલે વસ્તુ ગુણ-પર્યાયવાન જ હોય છે. આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાયે પલટાય . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy