SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ', ' છે. સમ્યજ્ઞાન પણચૈતન્યની એકાગ્રતારૂપ ધ્યાનથી જ થાય છે, સમ્યક્ચારિત્ર પણ ધ્યાનથી જ થાય છે. રાગની એકાગ્રતા છોડી, સ્વરૂપની એકાગ્રતા કરવી તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એકલા જ્ઞાન સ્વભાવમાં એકાગ્ર કરતાં જ રાગાદિની ચિંતા તૂટી જાય છે. તે જ એકાગ્ર ચિંતા નિરોધરૂપ ધ્યાન છે અને તે જ મોક્ષ માર્ગ છે. ..! ચારિત્રને જ મોક્ષમાર્ગનો ઉપાયકહ્યો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન પછી સ્વરૂપમાં સ્થિરતા વગર મોક્ષ પ્રાપ્ત નથી થતો. સમ ભાવ એટલે વિતરાગતા. એ વીતરાગતા દ્રવ્યને પકડે ત્યારે થાય. દ્રવ્યના આશ્રય વિના વીતરાગતા ન થાય. સમ ભાવનું કારણ વીતરાગ સ્વભાવથી ભગવાન આત્મા છે. રાગથી લાભ માનવો એ તો ચૈતન્ય પ્રભુનો અનાદર છે. અહિંસાને ધર્મ કહ્યો છે એટલે રાગાદિની ઉત્પતિ ન થવી તે વીતરાગીની અહિંસા- એ ધર્મ છે. પરની દયાનો ભાવ તે રાગ છે, એ રાગથી સ્વની હિંસા થાય છે. આવી વાત માત્ર પાત્ર જીવોને જ બેસે છે. ‘અહિંસા પરમો ધર્મ' એ વાત બરાબર પણ અહિંસાની સાચી સમજ હોવી જોઈએ. અનંત ગુણમય- જ્ઞાનામય આત્માનું સ્વરૂપ ઓળખવું. આત્મામાં કોઈ વિભાવ નથી. આત્મા તો ક્ષમાનો સાગર, શાંતિનો સાગર છે. અનંતકાળથી અનંત ભવો થયા, ગમે એટલા નિગોઠના ભવો થયા છતાં આત્માતો ક્ષમાનો ભંડાર છે. એવા આત્માને ઓળખવો એને એના આશ્રયે પ્રગટી ક્ષમાની પર્યાય એ જ સાચી ક્ષમા છે. આરીતે સમ્યક્ચારિત્રનું સાચું સ્વરૂપ બરાબર સમજી તેનું આચરણ શ્રાવક – મુનિ કેમ કરે છે એ બરાબર સમજવું જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy