SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ વખતે ઉપયોગમાં પર જોય નથી હોતું, કેમ કે સાધકનો ઉપયોગ સ્વમાં ને પરમાં બન્નેમાં એક સાથે લાગતો નથી, એક વખતે એકમાં જ ઉપયોગ હોય પ્રઃ સ્વાનુભવ વખતે જ્ઞાન તે સ્વય અને આનંદ તે પર શેય એમ સ્વ-પર પ્રકાશપણું માનીએ તો? ઉઃ નહિ; સ્વાનુભૂતિમાં એવો ગુણ ભેદ નથી હોતો. ત્યાં શ્રદ્ધા, જ્ઞાન, આનંદ બધાય ગુણો એકરસપણે (અભેદ) અનુભવમાં આવે છે. વળી અતીન્દ્રિય આનંદને પર કહેવાનું વ્યાજબી નથી કેમકે તે તો આત્માની સ્વાનુભૂતિમાં જ સમાયેલો છે, જુઠો નથી. પ્રઃ તો પછી જ્ઞાનનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે તેનું શું? ઉઃ હા, જ્ઞાનનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે- એ ખરું, પણ જ્યાં સુધી તે સ્વભાવ પ્રગટીને કેવળજ્ઞાનરૂપ થયો નથી ત્યાં સુધી તે વિભાવજ્ઞાન છે, તે ભલે સમ્યજ્ઞાન હોય છતાં હજી અધુરું છે. તેથી તેનો ઉપયોગ સ્વ-પરને એક સાથે જાણી શકતો નથી. પ્રઃ તો શું તે વખતે જીવને સ્વ-પર નું જ્ઞાન નથી? ઉ છે, પણ ઉપયોગ સ્વયમાં જ વર્તે છે; ઉપયોગમાં તો આત્મા જ જ્ઞાતા છે અને આત્મા જ જોય છે. પરથી ભિન્નતાના જ્ઞાન માટે કાંઈ પર સન્મુખ ઉપયોગ હોવો જરૂરી નથી. પોતાના શુદ્ધ આત્માને જ સ્વ શેયપણે જાણ્યો અને તેમાં રાગની કે જડની ભેળસેળન કરી, તે જ ભેદ જ્ઞાન છે. જ્ઞાનીને તે નિરંતર વર્તે છે. પ્રઃ ધર્મનો ઉપયોગ અંદરમાં હોય ત્યારે તો તે અતીન્દ્રિય ઉપયોગમાં ઈન્દ્રિય વિષયો છૂટી ગયા છે પરંતુ જ્યારે તે જ ધર્મીનો ઉપયોગ બહાર જાય અને ઈન્દ્રિય જ્ઞાન હોય ત્યારે તે બાહ્ય ઉપયોગ વખતે શું એકલું ઈન્દ્રિય જ્ઞાન જ * હોય કે અતિન્દ્રિય જ્ઞાન પણ હોય? ઉઃ ધર્મીને બાહ્ય ઉપયોગ વખતે ઈન્દ્રિય જ્ઞાન હોય. તેમ જ તે જ વખતે તેને તે પર્યાયમાં અતીન્દ્રિય જ્ઞાન પણ ચાલુ જ છે; એકલું ઈન્દ્રિય જ્ઞાન નથી. હા, તે વખતે ઉપયોગરૂપે અતીન્દ્રિય જ્ઞાન નથી, તો પણ તે જ પર્યાયમાં પહેલાં જે આત્મજ્ઞાન કરેલું છે તેની ધારણા વર્તે છે એટલે અતીન્દ્રિય જ્ઞાનનું પરિણમન (લબ્ધપણે) તે જ પર્યાયમાં ચાલી રહ્યું છે. જો એકલું ઈદ્રિય જ્ઞાન હોય તો સમ્યજ્ઞાન ટકી શકે નહિ અને મોક્ષમાર્ગ પણ ચાલુ રહે નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy