SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ વળી સ્વ-પરના શ્રદ્ધાનમાં તુચ્છ બુદ્ધિવાનને એમ ભાસે કે સ્વપરનું જાણવું જ કાર્યકારી છે અને તેનાથી જ સમ્યકત્ત્વ થાય છે. પણ ત્યાં આસવાદિનું સ્વરૂપ ભાસતું નથી અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ પણથતી નથી, વા આસ્વાદિનું શ્રદ્ધાન થયા વિના માત્ર એટલું જ જાણવામાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દષ્ટિ માની સ્વચ્છંદી થઈ રાગાદિ છોડવાનો ઉદ્યમ કરે નહિ, એવો ભ્રમ ઉપજે. તથા આત્મશ્રદ્ધાન લક્ષણમાં તુચ્છ બુદ્ધિવાનને એમ ભાસે કે એક આત્માનો જ વિચારકાર્યકારી છે અને તેનાથી જ સમ્યકત્વ થાય છે, પણ ત્યાં જીવ-અછવાદિના વિશેષો વા આસવાદિનું સ્વરૂપ ભાસતું નથી અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધી પણ થતી નથી વાજીવાદિનાવિશેષોનું અને આસવાદિના સ્વરૂપનું શ્રદ્ધાન થયા વિના માત્ર એટલા જ વિચારથી પોતાને સમ્યગ્દષ્ટિ માની સ્વચ્છંદીબનીરાગાદિ છોડવાનો ઉદ્યમ કરે નહિ, તેને પણ એવો ભ્રમ ઉપજે છે. એમ જાણી એ લક્ષણોને મુખ્ય ર્યા નહિ. અને તત્ત્વાર્થ શ્રદ્ધાન લક્ષણમાં જીવ-અછવાદિ વા આસવાદિનું શ્રદ્ધાન થાય છે, ત્યાં તે સર્વનું સ્વરૂપ જો બરાબર ભાસે તો મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય, એ શ્રદ્ધાન થતાં સમ્યકક્વીની થાય છે પણ એ સંતુષ્ટ થતો નથી. આસવાદિનું શ્રદ્ધાન થવાથી રાગાદિક છોડી મોક્ષનો ઉદ્યમ રાખે છે. એ પ્રમાણે તેને ભ્રમ ઉપજતો નથી. માટે તત્ત્વાર્થથદ્ધાનલક્ષણને મુખ્યર્યું છે. અથવાતત્ત્વાર્થ શ્રદ્ધાનલક્ષણમાંતો દેવાધિનું શ્રદ્ધાના આત્મશ્રદ્ધાન ગર્ભિત હોય છે તે તો તુચ્છ બુદ્ધિમાનને પણ ભાસે છે. પણ અન્યલક્ષણોમાં તત્ત્વાર્થ શ્રદ્ધાનનું ગર્ભિતપણું છે તે વિશેષબુદ્ધિમાન હોય તેને જ ભાસે છે પણ તુચ્છ બુદ્ધિવાનને ભાસતું નથી. માટે તત્ત્વાર્થ શ્રદ્ધાન લક્ષણને મુખ્ય ક્યું છે. અથવા મિથ્યાષ્ટિને આભાસ માત્ર હોય છે, ત્યાં તત્ત્વાર્થનો વિચારતોવિપરીતાભિનિવેશદૂર કરવામાં શીર્ઘકારણરૂપ થાય છે પણ અન્ય લક્ષણો શીર્ઘકારણરૂપ થતાં નથી વા વિપરીતાભિનિવેશનાં પણ કારણ થઈ જાય છે. - તેથી અહીં સર્વ પ્રકારથી પ્રસિદ્ધ જાણી વિપરીતાભિનિવેશરહિત જીવાદિતત્ત્વાર્થોનું શ્રદ્ધાનતે જ સમ્યકત્ત્વનું લક્ષણ છે એવો નિર્દેશ કર્યો. એ પ્રમાણે લક્ષણ નિર્દેશનું નિરૂપણ ક્યું. એવું લક્ષણ જે આત્માના સ્વભાવમાં હોય તેને જ સમ્યગ્દષ્ટિ જાણવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy