SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ નિશઃ શુદ્ધિની વૃદ્ધિ થવી એ નિર્જરા છે. મોક્ષ સંપૂર્ણ શુદ્ધિ તે મોક્ષ છે. આ સાત તત્ત્વમાં જીવ અને અજીવદ્રવ્ય છે. આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ પર્યાય છે. આમ સાતતત્ત્વના યથાર્થ અને પૃથ્થક પૃથ્થક ભાવનું શ્રદ્ધાન અને ભાસન થવું એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. આ જ આત્મજ્ઞાન છે. સમ્યગ્દર્શન વિના ચારિત્ર, તપવ્રત હોતાં નથી. મિથ્યાષ્ટિજીવ સાત તત્ત્વોના નામ બોલે, પણ હું જીવ છું, વિકારાદિ અધર્મ છે, તેનાથી રહિત હું શુદ્ધ, બુદ્ધ, ચેતન્ય ઘન છું એવી ખબર નથી તેને ધર્મ થતો નથી. કોઈ શાસ્ત્ર ભણે અથવાન ભણે પણ જીવાદિનું ભાવભાસન છે તો તે સમ્યગ્દષ્ટિ જ છે. અંતરમાં ભાવભાસન થાય તો તે સમ્યગ્દષ્ટિ જ છે. સમ્યગ્દરનાદિકનું સાચું લક્ષણઃ વિપરીત અભિનિવેશરહિત જીવાદિતવાર્યશ્રદ્ધાનસમ્યગ્દર્શનનું લક્ષણ છે. અભિનિવેશ એટલે અભિપ્રાય. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વાર્થ છે. એનું જે શ્રદ્ધાન અર્થાત્ આમ જ છે અન્યથાનથી એવો પ્રતીતિ ભાવ તે તત્ત્વાર્થ શ્રદ્ધાન છે તથા વિપરીતાભિનિવેશ જે અન્યથા અભિપ્રાય તેથી જે રહિત તે સમ્યગ્દર્શન છે. તરવાયું જેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ તેને તત્ત્વ જાણવું તથા જાણવામાં આવતાં એવા જે દ્રવ્યો વા ગુણ-પર્યાય છે તેનું નામ અર્થ છે. તત્ત્વ કહેતા પોતાનું સ્વરૂપ, એ વડે સહિત પદાર્થ તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. અભિનિવેશનામ અભિપ્રાયનું છે. જેવો તત્ત્વાર્ધશ્રદ્ધાનનો અભિપ્રાય છે તેવો નહિ હોતાં અન્યથા અભિપ્રાય હોય તેનું નામ વિપરીતાભિનિવેશ છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન કરવાનો અભિપ્રાયકેવળ તેનો નિશ્ચય કરવો એટલો જ માત્ર નથી પણ ત્યાં અભિપ્રાય એવો છે કે જીવ-અજીવને ઓળખી પોતાને વા પરને જેમ છે તેમ માનવા, આસવને ઓળખી તેને હેય માનવા, બંધને ઓળખી તેને અહિત માનવો, સંવરને ઓળખી તેને ઉપાદેય માનવો, નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ માનવું તથા મોક્ષને ઓળખી તેને પોતાનું પર મહિત માનવું. એ પ્રમાણે તત્ત્વાર્થ શ્રદ્ધાનનો અભિપ્રાય છે. તેનાથી ઉલટા અભિપ્રાયનું નામ વિપરીતાભિનિવેશ છે. સત્ય તત્ત્વાર્થ શ્રદ્ધાનથતાં તેનો અભાવ થાય છે. માટે તત્ત્વાર્થ શ્રદ્ધાન છે તેવિપરીતાભિનિવેશ રહિત છે, એમ અહીં કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy