SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થના આકારે અગ્નિથયો એ પોતે પોતાના પરિણમનની લાયકાતથી થયો છે. તેના આકારે પરિણમ્યો માટે અગ્નિ પરાધીન છે એમ નથી. છાણાના આકારે અગ્નિ પરિણમ્યો તેથી તેને અશુદ્ધતા નથી.તે સ્વયં અગ્નિ તેવા આકારરૂપે પરિણમ્યો છે. દાહ્યના આકારે પરિણમતો અગ્નિ ડાઘને કારણે નહિ, પણ સ્વયં પોતાને કારણે તેવા આકારે પરિણમે છે. યાકાર થવાથી તે ભાવ” જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જેવો રાગહોય, પુણ્યપાપના ભાવ હોય તેને તે સ્વરૂપે જ જ્ઞાન જાણે. શરીર, મન, વાણી, રાગ આદિ જ્ઞાનમાં જણાય તે કાળે શાન યાકારે પરિણમે છે. છતાં શેયના કારણે જ્ઞાને જોયાકાર થાય છે એવી પરાધીનતા નથી. જાણનાર જોયાકારોના જ્ઞાનપણે પરિણામે તેથી તેને શાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ શેય પદાર્થોના કારણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. શેયકૃત અશુદ્ધતા તેને નથી. પરના કારણે જ્ઞાન શૈયાકારરૂપ થાય છે એમ નથી. પરંતુ પોતાની પરિણમન યોગ્યતાથી પોતાનો જ્ઞાન-આકાર પોતાથી થયો છે. રાગાદિ જોયાકારની અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. જ્ઞાયકભાવના લક્ષે જે જ્ઞાનનું પરિણમન થયું તેમાં સ્વનું જ્ઞાન થયું અને જે ય છે તેનું જ્ઞાન થયું તે પોતાના કારણે થયુ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો છે માટે પોતે જ કર્મ. શેયને જાણ્યું જ નથી, પણ જોયાકાર થયેલા પોતાના જ્ઞાનને જાણ્યું છે. જેમ દીપક ઘટ-પટને પ્રકાશિત કરવાની અવસ્થામાંયદીપક છે અને પોતાને પોતાની જયોતિરૂપશિખાને પ્રકાશવાની અવસ્થામાં પણદીપક જ છે. દીવો ઘટ-પટાદિને પ્રકાશે ત્યારે પણ ઠીવારૂપ છે, ઘટ-પટાદિરૂપ થતો નથી અને પોતાની જયોતિરૂપ શિખાને પ્રાશે ત્યારે પણ દીવો દીવો જ છે, અન્યકાંઈ નથી. તેમ શાયકનું પણ સમજવું. શાયક ઘટ-પટાદિ કે રાગાદિ યાકારોને જાણવાની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે અને પોતાને જાણવાની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. ઘટ-પટાદિ કે રાગાદિને જાણવાના કાળે પણ જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપ જ છે. ઘટ-પટાદિ અન્યરૂપ નથી. તથા પોતાની પર્યાયના જાણવાના કાળે પણ જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપ જ છે, અન્યરૂપ નથી. જ્ઞાયક જ્ઞાનરૂપે પરિણમે છે, તે યાકારે પરિણમે છે એમ છે જ નહિ. આ જ્ઞાયકરૂપી દીવો, દયા,દાન, વ્રત, ભક્તિ, પૂજા ઈત્યાદિ પરિણામ જે શેય છે તેને જાણવાના કાળે પણ જ્ઞાનરૂપે રહીને જ જાણે છે. અન્ય શેયરૂપ થતો નથી. શેયોનું જ્ઞાન તે જ્ઞાનની અવસ્થા છે, શેયની નથી. જ્ઞાનની પર્યાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy