SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ • ભાઈ! મિથ્યાત્વ છૂટ્યા વિના તો વ્રત પચ્ચખાણ હોય જ નહિ, તેથી પરિગ્રહ પરિમાણવ્રતધારણ કરનારને પ્રથમ સમ્યગ્દર્શન હોવું, આત્માની અનુભૂતિ હોવી આવશ્યક જ છે. તે વગર બધું જ નિરર્થક છે. ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ પાંચમા શ્રાવકના ગુણ સ્થાનમાં આત્માનો અધિક અને ઉગ્ર આશ્રય હેવાથી અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ કષાયનો અભાવ થઈ જાય છે તથા કાંઈક કમજોરીના કારણે પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન ક્રોધાદિનો સદ્ભાવ રહે છે, તે અનુસાર શ્રાવકના બારવ્રત-એટલે ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહની મર્યાદા બુદ્ધિપૂર્વક કરવામાં આવે છે. આ સંપૂર્ણ ક્રિયાનું નામ જ પરિગ્રહ-પ્રમાણવ્રત છે. અણુવ્રતોમાં પરિગ્રહનું પરિમાણ જીવન ઉપયોગી વસ્તુઓનું જ કરવામાં આવે છે. ધનની કિંમતમાં વધઘટ થતી રહેવાથી માત્ર એનું પરિમાણકરવાથી મુકેલી થવી સંભવિત છે. દરિદ્રમનુષ્યતો સ્વભાવથી જ બાહ્ય પરિગ્રહથી રહિત હોય છે, પરંતુ અંતરંગ પરિગ્રહને છોડવામાં કોઈ પણ સમર્થ હોતું નથી. બાહ્ય પરિગ્રહનો ત્યાગ ભાવોની વિશુદ્ધિ માટે કરવામાં આવે છે. પરંતુ રાગાદિ ભાવરૂપ અત્યંતર પરિગ્રહના ત્યાગ વિના બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિષ્ફળ છે. • અંતરંગશુદ્ધિથતાં બાહ્ય પરિગ્રહનો નિયમથી ત્યાગ હોય છે. એતરંગ અશુદ્ધ પરિણામોથી વચન અને કાયા દ્વારા દોષોની ઉત્પત્તિ થાય છે. પાંચમા ગુણ સ્થાનની અપેક્ષાએ છઠ્ઠા મુનીનાગુણસ્થાનમાં આત્માનો ઉગ્ર આશ્રય હોવાથી ત્રણેય કષાય ની ચોકડીનો અભાવ થાય છે અને સહજ એમને સર્વસંગ પરિત્યાગ હોય છે. • વસ્તુતઃ તો એ છે કે ધન-ધાન્યાદિ સ્વયં તો કોઈ પરિગ્રહનથી બલ્ક એમના ગ્રહણનો ભાવ એ જ પરિગ્રહ છે: આ સર્વ વાતો ધ્યાનમાં રાખીને જિનાગમમાં પરિગ્રહની વ્યાખ્યા ‘મૂછ પરિગ્રહ છે, મમત્વ પરિણામ એ જ મૂછ છે, “આ વસ્તુમારી છે,” આવો સંકલ્પ રાખવો એ પરિગ્રહ છે. પરપદાર્થો પોતે તો કોઈ પરિગ્રહનથી, પર પદાર્થો પ્રત્યે જે આપણું મમત્ત્વ છે, રાગ છે, એ જ વાસ્તવમાં મહા પરિગ્રહ છે, એ જ મિથ્યાત્વ છે. પર પદાર્થો છૂટી જવાથી કોઈ અપરિગ્રહી થઈ જતો નથી, બલ્ક એને રાખવાનો ભાવ, એના પ્રતિ એકત્ત્વ બુદ્ધિ કે મમત્વ પરિણામ છોડવાથી Jain Education International . . For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy