SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. દેશવિરત ૬. ૭. ૮. ૯. પ્રમતવિરત અપ્રમતવિરત અપૂર્વકરણ અનિવૃતિકરણ ૨૧૪ ⭑ ૧૦. સૂક્ષ્મસામ્પરાય ૧૧. ઉપશાંત મોહ ૧૨. ક્ષીણ મોહ ગુણસ્થાનોનું આ નામ પાડવાનું કારણ મોહનીય કર્મ અને યોગ છે. પ્રથમ ચાર ગુણસ્થાનક તો દર્શન મોહનીય કર્મના નિમિત્તથી છે. પાંચમા ગુણસ્થાનકની માંડીને ખારમા ગુણસ્થાનક પર્યંત આઠ ગુણસ્થાનક ચારિત્રયમોહનીયકર્મના નિમિત્તયી છે. તેરમું અને ચૌદમું ગુણસ્થાનયોગોના નિમિત્તથી છે. ૧૩. સંયોગીકેવળી ૧૪. અયોગી કેવળી. ⭑ મિથ્યાત્ત્વ ગુણસ્થાન : દર્શનમોહનીય કર્મના ઉદયથી થાય છે. તેમાં આત્માના પરિણામ મિથ્યાત્ત્વરૂપ થાય છે. ⭑ સાસદન ગુણસ્થાન : દર્શનમોહનીય કર્મના ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ એ ચાર અવસ્થાઓમાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી. દર્શનમોહનીય કર્મની અપેક્ષાથી પારિણામિક ભાવ છે, કિન્તુ અનંતાનુબંધી ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી એ અપેક્ષાથી ઔઠાયિકભાવ પણ કહીશકાય છે. અનંતાનુબંધીના ઉદયથી સમ્યક્ત્ત્વનો ઘાત થઈ ગયો છે તેથી અહીં સમ્યક્ત્ત્વ નથી અને મિથ્યાત્ત્વનો પણ ઉદય આવ્યો નથી. તેથી મિથ્યાત્ત્વ અને સમ્યક્ત્વની અપેક્ષાથી અનયરૂપ છે. Jain Education International મિશ્ર આગુણસ્થાનમાં આત્માના પરિણામ સભ્યમિથ્યાત્ત્વ અથવા અભયરૂપ હોય છે. આ ગુણસ્થાન બીજાની જેમ પાછા પડતા આવે છે. અવિરત સમ્યગ્દષ્ટિ : દર્શનમોહનીય કર્મના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપરામનના નિમિત્તથી થાય છે. આ ગુણ સ્થાનકમાં આત્માના સમ્યગ્દર્શન પર્યાયનો પ્રાદુર્ભાવ થઈ જાય છે. અનંતાનુબંધીષાયતૂટે છે. દેશવિરત : શ્રાવકના બાર વ્રત અંગીકાર થાય છે. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના, ઉપશમથી શ્રાવક્ત્રતરૂપ દેશ ચરિત્ર થાય છે. આ ગુણ સ્થાનમાં સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનનું અવિનાભાવિ સમ્યજ્ઞાન અવશ્ય થાય છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy