SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ I૧ જેના દર્શનનું સ્વરૂપ : ધર્મ શું છે? આત્માનો સ્વભાવ તે ધર્મ. • આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. • સ્વભાવમાંથી પરભાવમાં ન જવાદે તે ધર્મ. પરભાવવડે કરીને આત્માને દુર્ગતિમાં જવું પડે તેનો જવાદેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ. સભ્યશ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપ આચરણ તે ધર્મ. • આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તે ધર્મ • પદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપ આચરણ તે ધર્મ. • જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. • નિજ આત્માની અહિંસાને ધર્મ કહે છે. • જે વીતરાગતા પ્રગટ કરાવેતે ધર્મ v જૈન ધર્મ શું છે? • જિન ધર્મ સત્યનો ભંડાર, વસ્તુ સ્વરૂપનું યથાર્થ નિરૂપણ કરનાર વિશ્વનો ધર્મ કોઈ વ્યકિતના ક્યન, અભિપ્રાય, પુસ્તક, ચમત્કાર કે વિશેષ વ્યક્તિ પર નિર્ભર નથી. અનુભવ તેનો આધાર છે, યુક્તિવાદ તેનો આત્મા છે. પદાર્થોના સ્વરૂપનો તે પ્રદર્શક છે. • ત્રિકળ અબાધિત સત્યરૂપ છે. • વસ્તુઓ અનાદિ અનંત છે, તેનું સ્વરૂપ પ્રકાશક તત્ત્વજ્ઞાન પણ અનાદિ અનંત છે. કળ કે ક્ષેત્રની મર્યાદામાં તેને કેદ કરી શકાય નહિ. દરેક વસ્તુ સ્વતંત્ર, સ્વાધીન અને પોતાના સ્વભાવે પરિપૂર્ણ છે, તેનો પ્રદર્શક તે જૈન ધર્મ. • વસ્તુ અનાદિ અનંત છે, ધર્મતે વસ્તુનો સ્વભાવ છે. તેથી ધર્મ અનાદિ છે. કોઈ વ્યકિતએ ધર્મ ઉત્પન્ન કર્યો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy