SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ જન દર્શનનું સ્વરૂપ કે વસ્તુનું યથાર્થ નિરૂપણ કરનાર વિશ્વનો ધર્મ 98 ધર્મની વ્યાખ્યા મુખ્ય ચાર જુદી જુદી રીતે કરી છે. • વસ્તુના સ્વભાવરૂપ ધર્મ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિરત્નની એકતારૂપ મોક્ષમાર્ગ ધર્મ • ઉત્તમ ક્ષમા આદિ દશ લક્ષણરૂપ ધર્મ અહિંસા પરમો ધર્મ 8 વસ્તુ અનાદિ અનંત છે. વસ્તુનો સ્વભાવ ધર્મ છે. ધર્મ પણ અનાદિ-અનંત ત્રિકાળ સત્ છે. આ ધર્મનો કોઈ સ્થાપક નથી. અરિહંત અને સિદ્ધ જે પૂર્ણ દશા પ્રાપ્ત કરે છે તે ભગવાન કહેવાય છે. વીતરાગ પ્રભુ તીર્થકર માત્ર ધર્મના પ્રદર્શક છે - સ્થાપક નથી. ભગવાન જગતના હતકર્તા નથી, માત્ર જ્ઞાતા દટા છે. વીતરાગતા એ જ જૈન દર્શનનો સાર છે. એ જ જૈન દર્શન છે. ધર્મનો આધાર કોના પર છે? એક તરફ સ્વભાવ છે - બીજી તરફ સંયોગ. ત્યાં દૃષ્ટિ કોના પર છે તેના પર ધર્મનો આધાર છે. જો દ્રષ્ટિ સ્વભાવ (દ્રવ્ય) પર છે તો તે ધર્મ છે અને જો દષ્ટિસંયોગો (પર્યાય) પર છે તો તે અધર્મ છે. ધર્મનો મર્મ શું છે? આત્મા પોતાના સ્વભાવ સામર્થ્યથી પૂર્ણ છે. તે પરથી અત્યંત ભિન્ન છે. એ સ્વ - પરની ભિન્નતા જાણીને, સ્વદ્રવ્યનો મહિમા આવતા, સ્વદ્રવ્યનો આશ્રય કરીને, સ્વાનુભૂતિથી આત્મા શુદ્ધતા પામે એ જ ધર્મનો મર્મ છે. ધર્મનું મૂળ શું છે? ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. જે જીવ અહંતને દ્રવ્ય - ગુણ - પર્યાયથી જાણે છે તે જીવ દ્રવ્ય - ગુણ - પર્યાયાત્મક નિજ આત્માને જાણીને પોતાના આનંદમય - અખંડ- અભેદ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સામાન્યનો અંતરમાં આશ્રય કરે છે અને આશ્રયથી તેનો મિથ્યાત્વ મોહનાશ પામે છે અને તેને મોક્ષ સુખના બીજભૂત સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. ધર્મનું શ્રેષ્ઠ આલંબન શું છે? પંચપરમેષ્ઠી (1) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (૫) સાધુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy