SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ $ “અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મુક્યું નહિ અભિમાન; સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામીઓ, ઉગ્યો ન અંશ વિવેક.” વ8 જીવને પોતાનું સ્વરૂપ જાણ્યા વિના છૂટકો નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત....” ત્યાં સુધી યોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીની ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથા યોગ્યપણે ઓળખે છે તે ક્રમે ક્રમે કરી જ્ઞાની થાય છે. 4 “બીજુ કાંઈ શોધમાં, એક પુરુષને શોધીને (ઓળખીને) તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્યો જા પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે” આવું જ્ઞાનીનું વચન છે. જીવાદિ સાત તત્વોનું યથાર્થત્રતાના # તત્ત્વાર્થ સૂત્રમાં સૂત્ર છે. તસ્વાર્થ શ્રદ્ધાનું સ ર્જન તેમાં તત્ત્વ એટલે ભાવ અને અર્થ એટલે પદાર્થ (દ્રવ્ય, ગુણ, પર્યાય) પદાર્થના એટલે કે દ્રવ્ય, ગુણ, પર્યાય ના ભાવનું યથાર્થ ભાસન થવું તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. વ સાત તત્ત્વોને ભિન્ન ભિન્ન યથાર્થપણે શ્રદ્ધે તેને સમ્યગ્દર્શન કહે છે. આ સાત તત્ત્વ આ પ્રમાણે જીવ : જીવનો સ્વભાવ જ્ઞાયક શુદ્ધ ચિદાનંદ છે. ચેતના સહિત છે. રાગ, શરીર, પર દ્રવ્યોથી ભિન્ન છે. અજીવ : શરીર, પુદ્ગલ, જડ પદાર્થ, કર્મ આદિ અજીવ છે. અજીવનો સ્વભાવ ચેતનારહિત જડ છે. આસ્રવ : પુણ્ય અને પાપના પરિણામ આસ્રવ છે અને તેનો સ્વભાવ આકુળતા છે. જીવનો સ્વભાવ અનાકુળ આનંદ છે. બંધ : જે વિકારી ભાવો (શુભ શુભ ભાવો) થાય છે તેમાં અટકવું તે બંધ છે. સંવર : આત્માની શુદ્ધિ અર્થાત્ યથાર્થ રુચિ, જ્ઞાન અને તેમાં રમણતા એ સંવર તત્ત્વ છે. કર્મબંધ અટકવું એ સંવર છે. નિર્જરા : કર્મોની અપેક્ષાએ કર્મોના ખરી જવાને નિર્જરા કહે છે. મોક્ષ : સંપૂર્ણ શુદ્ધિ તે મોક્ષ છે. સર્વ કર્મોનો આત્યંતિક ક્ષય થઈ જવો તે મોક્ષ છે. મુક્તિ છે. ૩૩ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy