SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 8 આત્માર્થી જીવ અપ્રયોજનભૂત વિષયોમાં સમય વ્યર્થ ગુમાવતો નથી. ગમે તેવી કટોકટીમાં પણ અંતર મંથન, વિચારણા અને સ્વાધ્યાય - સત્સંગ આદિનો સમય મેળવી લે છે. @ સતની ઊંડી જિજ્ઞાસા હોવાથી પૂર્ણતાના લક્ષે શરૂઆત કરનાર સાધક આત્મપરિણતિ નિર્મળ કરી, આત્મામાં પરિણમે છે. ઉ& જીવે પ્રાયઃ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ - શાસ્ત્રોનું અધ્યયન કર્તવ્ય છે. 98 પોતાની ઊંડી રુચિ અને પ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ ઉપયોગથી જેટલું કારણ આપે એટલું કાર્ય થાય છે. # ‘બધા તાળાની ચાવી એક - જ્ઞાયકનો અભ્યાસ કરવો. મોહ - રાગ - વેષ રૂપ તાળાં ખોલવાં આ અમૂલ્ય માર્ગદર્શન છે. # હું જ્ઞાયક છું - જ્ઞાનાનંદ સ્વરૂ૫ છું સ્વરૂપ પ્રાપ્તિના સર્વ પ્રકારોમાં આ મૂળભૂત પ્રકાર છે. તેમ જાણીને તે પ્રકારે પ્રયત્નનો અભ્યાસ પોતાની લગનીથી થવો ઘટે છે. અંતર્મુખી ચિત્તની વિચાર ધારામાં જ્ઞાનસ્વભાવી આત્માના ભાવભાસનપૂર્વક સહજ પુરુષાર્થ ઉગ્ર થાય છે. વિકલ્પોમાં જરા પણ શાતા, શાંતિ કે સુખ નથી જ એમ મુમુક્ષુ જીવને અંદરથી લાગે છે. 8 ઊંડે ઊંડે પણ રાગના એક કણને પણ લાભરૂપ માનતો નથી. સ્વરૂપ નિશ્ચયપૂર્વક પુરુષાર્થનું અંદરથી ઉત્થાન થતાં પરિણતિ પલટાય છે. 8 આત્માની રુચિવાળા જીવને પોતાનું સ્વકાર્ય શીધ્ર કરી લેવાની લગ્ની હોવાથી, ઉદયને વશ કરવા પડતાં કાર્યો બોજારૂપ લાગે છે. ક8 ખરો આત્માર્થી જીવ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એક નિષ્ઠાથી કરવા તત્પર - વૃતિવાળો હોય છે, તેથી વિદ્યમાન જ્ઞાનીના સમાગમમાં તેમના પ્રત્યે સર્વાપર્ણ બુદ્ધિએ વર્તે છે. અને એક ન્યાયે તે મોક્ષનું બીજ છે. અનંત સમાધીનું સુખ અને શાંતિની પ્રાપ્તિનો એવો મોક્ષમાર્ગ એનું મૂલ્ય આંકનાર આત્માર્થ જીવ છે. # ભવભ્રમણનું અને સર્વ દુઃખનું મૂળ કારણ (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાન અને અસંયમ છે. તેથી તે ટાળવાનો પૂરો ઉદ્યમ કરતાં સમ્યગ્દર્શન - જ્ઞાન - ચરિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. & ખરા મુમુક્ષુને ઉદયની સર્વ પ્રવૃત્તિમાં આત્મલક્ષ રહે છે. એટલે કે ચાલતા પરિણમનમાં જે કાંઈ ઈષ્ટ - અનિષ્ટપણારૂપ પરિણામ વર્તે છે, તેમાં જેટલો પોતાનો રસ છે, તેનું જાગૃતિપૂર્વક સૂક્ષ્મ અવલોકન રહ્યાં કરે છે અને તેથી વિભાવરસ મોળો પડે છે. 8 આત્મ જાગૃતિ મુમુક્ષુતાનું ખાસ લક્ષણ છે. હું જ્ઞાન માત્ર છું તેવી અંતર સાવધાની તે જાગૃતિનું સ્વરૂપ છે. Jain Education International For Pers32 & Private Use Only www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy