SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ • જૈન દર્શન અનેકાંતવાદી દર્શન છે. એ વાદ નયોની ભાષામાં જ વ્યક્ત થાય છે. 8 નય ‘સ્યાદ્વાદરૂપ સમ્યક શ્રુતજ્ઞાનનું અંશ છે. અનંત ધર્માત્મક પદાર્થના કોઈ એક ધર્મને અથવા પરસ્પર વિરોધ પ્રતિત થવાવાળા ધર્મ પુદ્ગલોમાંથી કોઈ એક ધર્મને નય પોતાનો વિષય બનાવે છે. વસ્તુ સ્વરૂપના અધિગમ તથા પ્રતિપાદનમાં નયોનો પ્રયોગ જૈનદર્શનની મૌલિક વિશેષતા છે. અન્ય દર્શનોમાં “નય” નામની કોઈ વસ્તુ નથી. વસ્તુ સ્વરૂપના પ્રતિપાદનમાં નય” પ્રમાણિક છે. 38 નયોના મુખ્ય પ્રકાર:- નિશ્ચય નય વ્યવહારનય • અભેદ અને અનુપચાર રૂપથી વસ્તુનું નિશ્ચય કરવું નિશ્ચયનય છે. • ભેદ અને ઉપચારથી વસ્તુનું વ્યવહાર કરવું વ્યવહારનય છે. આત્માશ્રિત કથનને નિશ્ચય અને પરાશ્રિત કથનને વ્યવહાર કહે છે. સાચા નિરૂપણને નિશ્ચય અને ઉપચરિત નિરૂપણને વ્યવહાર કહે છે. • નિશ્ચયનય પ્રત્યેક દ્રવ્યનું સ્વતંત્ર કથન કરે છે, વ્યવહાર નય અનેક દ્રવ્યના અનેક ભાવો - કારણ - કાર્યાદિને પણ મેળવીને કથન કરે છે. • નિશ્ચયનયનું કાર્ય પરથી ભિન્નત્વ અને નિજમાં અભિન્નત્વ સ્થાપિત કરવાનું છે તથા વ્યવહારનું કાર્ય અભેદ વસ્તુનો ભેદ કરીને સમજાવવાનું, સાથે સાથે ભિન્ન ભિન્ન વસ્તુઓના સંયોગ અને તે નિમિત્તક સંયોગી ભાવોનું જ્ઞાન કરાવવાનું છે. • નિશ્ચયનયના કથનને સત્યાર્થ અને વ્યવહારનયના કથનને અસત્યાર્થ કહે છે. • નિશ્ચિયનયનો વિષય અભેદ - અખંડ આત્મા છે, એના આશ્રયથી સમ્યગ્દર્શનની ઉત્પતિ થાય છે. એટલે જ એને ભૂતાર્થ કહેવામાં આવે છે. • જિનવાણી સ્યાદ્વાદ રૂપ છે, અપેક્ષાથી કથન કહેવાવાળી છે. એટલે જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે બરાબર સમજવું જોઈએ. વ્યવહાર વિના નિશ્ચયનો પ્રતિપાદન નથી થતો અને વ્યવહારના નિષેધ વિના નિશ્ચયની પ્રાપ્તી થતી નથી, વ્યવહારનો પ્રયોગ નહિ કરીએ વસ્તુ સમજમાં નહિ આવે, અને જો વ્યવહારનો નિષેધ નહિ કરીએ તો વસ્તુની પ્રાપ્તિ નહિ થાય. # નિશ્ચય - વ્યવહારની સંધિ - જો જિનમતને પ્રવર્તના ઈચ્છો તે નિશ્ચય - વ્યવહારમાંથી એક ને પણ ન છોડો. કારણ કે વ્યવહાર વગર તીર્થનો લોપ થઈ જશે અને નિશ્ચય વિના તત્વનો લોપ થઈ જશે. તીર્થનો અર્થ છે ઉપદેશ અને તત્વનો અર્થ છે શુદ્ધાત્માનો અનુભવ. ઉપદેશની પ્રક્રિયા પ્રતિપાદન દ્વારા સમ્પન્ન થાય છે. તથા પ્રતિપાદન કરવું વ્યવહારનું કામ છે. એટલે વ્યવહારને સર્વથા Jain Education International . . For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy