________________
સંક્ષિપ્તપદાર્થસંગ્રહ
પર્યાપ્તનામકર્મના ઉદયવાળા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, બા અપકાય, પ્રત્યેક કે બાદરસાધારણ વનસ્પતિકાય, બેઇન્દ્રિયાદિ તિર્યંચો, આહારકશરીરી અને વૈ.શરીરી મુનિભગવંતો છે. ઉપઘાતના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણાવાળા જીવો છે. પરાઘાતના ઉદયના સ્વામી પર્યાપ્તનામકર્મના ઉદયવાળા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણાવાળા જીવો છે. ઉચ્છવાસના ઉદયના સ્વામી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણાવાળા જીવો છે અને જિનનામના ઉદયના સ્વામી ૧૩મા/૧૪મા ગુણઠાણામાં રહેલા તીર્થકર ભગવંતો છે.
7 ત્રસનામકર્મના ઉદયના સ્વામી ૧ થી ૧૪ ગુણઠાણાવાળા ત્રસજીવો છે. બાદરનામકર્મના ઉદયના સ્વામી ૧ થી ૧૪ ગુણઠાણાવાળા બાદર જીવો છે. પર્યાપ્તનામકર્મના ઉદયના સ્વામી ૧ થી ૧૪ ગુણઠાણાવાળા લબ્ધિ-પર્યાપ્તા જીવો છે. પ્રત્યેકનામકર્મના ઉદયના સ્વામી સાધારણ વનસ્પતિકાયને છોડીને આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ચારેગતિના જીવો છે. સુભગ-આયના ઉદયના સ્વામી સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો અને દેવો છે. સુસ્વરના ઉદયના સ્વામી ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા દેવો, યુગલિકો, આહારશરીરી, વૈ.શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો અને વિકસેન્દ્રિયાદિ તિર્યંચ-મનુષ્યો છે. યશના ઉદયના સ્વામી નારકો, તેઉ-વાઉં, સૂક્ષ્મએકે. અને લબ્ધિ-અપર્યાપ્તાને છોડીને, ચારેગતિના જીવો છે.
24 સ્થાવરનામકર્મના ઉદયના સ્વામી એકેન્દ્રિયજીવો છે. સૂક્ષ્મનામકર્મના ઉદયના સ્વામી સૂક્ષ્મએકેન્દ્રિયજીવો છે. અપર્યાપ્તનામકર્મના ઉદયના સ્વામી લબ્ધિ-અપર્યાપ્ત તિર્યચ-મનુષ્યો છે. સાધારણનામકર્મના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય છે. દુર્ભાગ-અનાદય-અયશના ઉદયના સ્વામી ચારેગતિના જીવો છે. દુઃસ્વરના ઉદયના સ્વામી ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા સર્વે નારકો અને વિકલેન્દ્રિયાદિ તિર્યંચ-મનુષ્યો છે.
7 ઉચ્ચગોત્રના ઉદયના સ્વામી સર્વે દેવો-વ્રતધારી મનુષ્યો અને કેટલાક અવિરતિવાળા મનુષ્યો છે તથા નીચગોત્રના ઉદયના સ્વામી સર્વે નારકો-સર્વે તિર્યંચો અને કેટલાક મનુષ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org