________________
આ લઘુ કૃતિના સર્જનમાં પ્રેરણા આપનાર પરમ આત્મજ્ઞાની શાંતમૂતિ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચને, તથા તેમને આધ્યાત્મિક રહસ્યયુક્ત બેધ ખૂબ ઉપકારી થયેલ છે. તે ઉપકાર માટે આ આત્મા તેમને અત્યંત વિનયભક્તિ સહ વંદન કરી સંતેષ અનુભવે છે.
આ ગ્રંથમાં ભક્તિમાર્ગનું માહાસ્ય બતાવવાને અને ભક્તિનું રહસ્ય પ્રગટ કરવાને અ૫ પ્રયાસ કર્યો છે. તેમાં ભક્તિમાર્ગને પ્રાધાન્ય પદ આપી, જ્ઞાનમાર્ગને ગૌણતામાં રાખેલ છે. તેથી જ્ઞાનમાર્ગને નિષેધ કરવાને કે અપલાપ કરવાને કઈ જ હેતુ નથી એમ સુજ્ઞ વાંચકે યથાયોગ્ય સમજવું. મતલબ કે ભક્તિમાર્ગની યથાર્થ સાધનાથી જ્ઞાનમાર્ગ પર જિજ્ઞાસુ વિચારકે આવવાનું છે. કેમકે ભક્તિ એ જ્ઞાનને હેતુ છે, જ્ઞાન મેક્ષને હેતુ છે, ક્ષમાર્ગ પામવાને હેતુ છે. - આધ્યાત્મિક વિકાસ સાધવાની જેને સાચી જિજ્ઞાસા છે, તેણે તે પિતાની પ્રાથમિક ભૂમિકામાં સદ્દગુરુદ્વારા ભગવાનના સ્વરૂપને ઓળખી તેમનાં લકત્તર ઉત્તમોત્તમ ગુણેને સમાજમાં લઈ એળખી, તેમાં અંતરથી પ્રેમ લાવી, શ્રદ્ધા કરી ભક્તિમાં જોડાવું અને બને તેટલું પ્રેમભક્તિનું આરાધન કરી ભગવાનનાં ઉપકારી વચનેના હાર્દને સમજી હૃદયમાં ઉતારવા. પરમકૃપાળુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org