________________
P ૫૨૬
P ૫૨૭.
૩૧૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૪ - 'હમ્મીર-મદ-મર્દન (લ. વિ. સં. ૧૨૮૨)- આ પંચાંકી નાટક વીરસૂરિના શિષ્ય અને ભરૂચના મુનિસુવ્રતસ્વામીના મંદિરના આચાર્ય જયસિંહસૂરિએ વિ. સં. ૧૨૭૯થી વિ. સં. ૧૨૮પના ગાળામાં રચ્યું છે. એમણે આ નાટક–પ્રકરણ “ભયાનક રસથી ભરેલું નથી પરંતુ નવે રસોથી એ તરબોળ છે એમ કહ્યું છે. એમાં વરધવલ અને વસ્તુપાલને હાથે, ગુજરાત ઉપર દક્ષિણેથી ચઢી આવેલા યાદવ રાજા સિંહણનો અને ઉત્તરેથી ચઢી આવેલા મીલ ફ્રીકાર (અલ્તમસ)નો પરાજય કેવી રીતે થયો એ વર્ણવાયું છે. આમ આમાં શુદ્ધ ઐતિહાસિક પ્રસંગ આલેખાયો છે. આ જાતનાં નાટકો સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં વિરલ છે એ દૃષ્ટિએ આ નાટક મહત્ત્વનું છે.
આ નાટકના પ્રથમના બે અંકોમાં ઉપર્યુક્ત સિંહણ અને લાટરાજના ભત્રીજા સંગ્રામસિંહના સંગઠનને વસ્તુપાલના જાસુસોએ કેવી રીતે તોડી પાડ્યું એ બાબત રજૂ કરાઈ છે.
ત્રીજા અંકમાં કમલક નામનો દૂત મ્લેચ્છોના ઉપદ્રવથી “મેવાડ દેશની થયેલી ખાનાખરાબીનો ખ્યાલ કરાવે છે. વિરધવલ આવે છે એવી અફવા ફેલાવીને એ મેવાડવાસીઓને હિંમત આપે છે.
ચોથા અંકમાં એ વાત છે કે વસ્તુપાલે ફેલાવેલી અફવાને લઈને બગદાદાને ખલીફ ખર્મરખાનને હુકમ કરે છે કે મીલચ્છીકારને બેડી પહેરાવી મારી આગળ રજૂ કરો. બીજી બાજુ તુષ્કોના પરાજય પછી તેમના પ્રદેશો પાછા આપવાનું વચન વસ્તુપાલ કેટલાક રાજાઓને આપે છે અને એ રીતે એઓ એમને પોતાના પક્ષકાર બનાવે છે.
મીલચ્છકાર પોતાના વજીર ઘોરી ઈસફ સાથે વાતમાં રોકાયો છે એવે પ્રસંગે વિરધવલની ગર્જના અને એના લશ્કરનો અવાજ સંભળાય છે. એથી ભયભીત બની એ બંને જણ નાસી જાય છે. આથી વિરધવલ નાસીપાસ થાય છે પણ શત્રુની પીઠ ન પકડવાની વસ્તુપાલ જે સલાહ આપે છે તે એ માન્ય રાખે છે.
- પાંચમાં અંકમાં વીરધવલ વિજય સાધી પાછો ફરે છે એ હકીકત અપાઈ છે. મીલીકારના પીર રદી અને કદી બગદાદથી આવતાં વસ્તુપાલે એમને દરિયામાં કેદ કર્યા હતા. એમની સહીસલામતી માટે મીલીકારને વિરધવલ સાથે મૈત્રીભરી સંધિ કરવી પડે છે.
આ નાટકના અંતિમ ભાગમાં એવું વર્ણન છે કે વિરધવલ મહાદેવના મંદિરે જાય છે અને ત્યાં મહાદેવ પ્રત્યક્ષ થઈ એમને વરદાન આપે છે. ' ૧. આ નાટક “ગા. પી. ગ્રં.”માં ગ્રંથાંક ૧૦ તરીકે ઇ. સ. ૧૯૨૦માં છપાયું છે. આની વિ. સં. ૧૨૮૬માં લખાયેલી એક હાથપોથી જેસલમેરના ભંડારમાં છે. આ નાટકનો ગુજરાતીમાં પરિચય અ. ભોગીલાલ જ. સાંડેસરાએ ઈ. સ. ૧૯૪૮માં છપાયેલા પોતાના લેખસંગ્રહ નામે “વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા
લેખોમાં પૃ. ૨૬-૨૭ આપ્યો છે. ૨.H TL (VIo. ||, p. 547)માં આ “હમીર એટલે અમીર શિકાર યાને સુલતાન સમસુદ-દુનિયા એમ
કહ્યું છે. ૩. એમણે વસ્તુપાલ-તેજપાલની ૭૭ પદ્યની પ્રશસ્તિ રચી છે. એ ગુજરાતની ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org