SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૨૯૪-૨૯૮] ૧૮૫ ૮૧૬)ની પૂર્વે થઈ ગયેલા દિ- યતિવૃષભે તિલોયપણત્તિ (મહાધિયાર ૪)ના ૯૨૪મા પદ્યમાં “સુરદુહિ” વિષે કર્યું છે. વિવરણો– કલ્યાણમન્દિર સ્તોત્ર ઉપર અનેક મુનિવરોએ સંસ્કૃતમાં વિવરણો રચ્યાં છે. એમનાં નામ હું બને ત્યાં સુધી રચનાવર્ષ સહિત નોંધું છું – (૧) ટીકા- આ દેવસુન્દરસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિએ રચી છે. કેટલાક એમને બદલે ‘જયાનન્દસૂરિનું નામ ગણાવે છે. (૨) ટીકા- આ ખરતર' ગચ્છના કલ્યાણરાજના શિષ્ય ચારિત્રવર્ધનની રચના છે. એમણે વિ. સં. ૧૫૦૫માં સિજૂરપ્રકરની ટીકા રચી છે.' (૩) અવચૂરિ– આ ગુણસેન (? રત્ન)ની કૃતિ છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૨૩માં P ર૯૭ લખાયેલી મળે છે. (૪) સૌભાગ્યમંજરી- આ ૩૪૬ શ્લોક જેવડી અજ્ઞાતકર્તૃક વૃત્તિનો પ્રારંભ “માસ્વરત્ન TAર્તાિમથી કરાયો છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૨૭માં લખાયેલી મળે છે. (૫) ટીકા- આ કમલવિજયની રચના છે. (૬) ટીકા- આના પ્રણેતા હેમવિજય છે. શું એમણે વિ. સં. ૧૬૬૧માં કમલવિજયરાસ રચ્યો છે? (૭) વ્યાખ્યાલેશ- આ “નાગપુરીય તપા' ગચ્છના ચન્દ્રકીર્તિસૂરિના શિષ્ય હર્ષકીર્તિસૂરિની વિ. સં. *૧૬૩૩ના અરસાની રચના છે. એ લગભગ પ૨૫ શ્લોક જેવડી છે. (૮) 'વૃત્તિ- આ ૬૨૦ શ્લોક જેવડી વૃત્તિ કનકકુશગણિએ વિજયસેનસૂરિના રાજ્યમાં વિ. સં. ૧૬૫રમાં રચી છે. અહીં એમણે કમલવિજયનો વિદ્યાગુરુ તરીકે ઉલ્લેખ કર્યો છે. (૯) “વિવૃત્તિ- આ લગભગ ૭૦૦ શ્લોક જેવડી વિવૃત્તિ માણિક્યચન્દ્ર વાચક શાન્તિચન્દ્રના શિષ્ય રત્નચન્દ્રની કૃપાથી વિ. સં. ૧૬૬૮ની આસપાસમાં રચી છે. (૧૦) વૃત્તિ- આ રત્નચન્દ્રમણિની કૃતિ છે. એ ગણિએ વિ. સં. ૧૯૭૪માં પ્રદ્યુમ્નચરિત્ર રચ્યું છે. P ૨૯૮ એમાં એમણે આ વૃત્તિનો ઉલ્લેખ કર્યો છે. (૧૧) ટીકા- આ પુણ્યસાગરગણિએ રચી છે. આ ખરતર' ગચ્છના છે કે “પિંપલ' ગચ્છના તે જાણવું બાકી રહે છે. ૧. શું વિ. સં. ૧૪૧૦-૧૪૪૧ સુધી આચાર્ય તરીકે વિદ્યમાન અને સ્થૂલભદ્રચરિત્રના કર્તા તે જ આ છે ? (૫. ર૭૫)માં વિ. સં. ૧૬૬૮નો જ ઉલ્લેખ છે પણ ભાં. પ્રા. સં. મું. માં તો એની વિ. સં. ૧૬૩૫માં લખાયેલી હાથપોથી છે તેનું કેમ ? ૩. “દે. લા. જૈ. પુ. સં.” દ્વારા આ પ્રકાશિત છે. ૪. એમના પરિચય માટે જુઓ પૃ. ૨૬૯-૨૭૧ ૫. “દે. લા. જે. ૫. સં.” દ્વારા આ છપાયેલી છે. ૬. આની એકે હાથપોથી પ્રો. વેલણકરને મળી નથી. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૮૧). ૭. જૈ. સા. સં. ઈ. (પૃ. ૬૦૬)માં કોઈક પુણ્યસાગરને અંગે વિ. સં. ૧૬૦૪નો ઉલ્લેખ છે. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy