________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ કહેવાય છે, અને તે જ આજ્ઞા કહેવાય છે.
ત્યારે અપાત્રને ઉદિશ્ય અનુચિત કેમ? તેનો ઉત્તર કહે છે જે કારણ માટે ભિક્ષા લેવાને ઘરે આવેલા અપાત્રને માટે પૃથ્વી, અપૂ, વનસ્પતિ આદિ જીવોનો ઘાત કરવો, અગ્નિના સંયોગથી અન્નપાક માટે તે યોગ્ય નથી, કારણ કે અપાત્ર માટે કરેલ જીવવધ પોતાના આત્માને વિષે પાપનો ભારો આરોપવાનો તથા જોનારાને પણ અત્યંત અનુચિતપણા માટે થાય છે, માટે કહ્યું છે કે –
તિ:
हणंतंच नाणुजाणिज्जा आयगुत्तेजिइंदिये ठाणाइंसंति सढीणं, गामे सुनग रेसुव ॥१॥
___ इति सूत्रकृतांगसूत्रेભાવાર્થ : સંવૃતઆત્મા ત્રિગુણિગુપ્ત થઇ, જિતેંદ્રિયપણે ધારણ કરનાર જીવોને કોઈ મારતો હોય તો પણ તેનું મનથકી પણ અનુમોદન કરે નહિ, કારણ કે ગામને વિષે તથા નગરોને વિષે શ્રાવકોના સ્થાનો હોય છે, ત્યાં હિંસાનો અભાવ હોય છે, તેથી કદાપિ કાળે પણ, હિંસાને અનુમોદે નહિ.
ગામ, નગર, ખેટક, કર્બટ, આદિ સ્થાનોને વિષે આશ્રમો છે. તે આશ્રમોમાં રહી કોઈ કલ્પિત ધર્મ શ્રદ્ધાળુતાવડે કરી ધર્મબુદ્ધિથી પ્રાણીયોને ઉપમર્દન કરનારી કુવા, તળાવ ખોદાવવાની તથા પાણીશાળા તથા સત્રાગારાદિક ક્રિયા કરે, કરાવે તો તે શું ધર્મશ્રદ્ધાળુના માટે ધર્મ થાય કે નહિ, આવી રીતે પૂછે અગર ન પૂછે, અગર તેના ઉપરોધથકી અગર ભયથકી પ્રાણીયોને હણે તેને આજ્ઞા આપે નહિ, માટે સાવધ અનુષ્ઠાન ન માને તે જ મુનિ કહેવાય છે. તેમાં સત્રાગારાદિ ઇષ્ટાપૂર્નાદિકના નિષેધથી પાર્થસ્થાદિકને
૧૭૩]
૧૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org