________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ કરવારૂપ સૂત્રોના અનુસાર દ્રવ્ય અનુકંપા ઉપર્જની ભૂતનાં અવિવક્ષીતપણાથી ભાવ અનુકંપા સમ્યક્ત્વલિંગી જાણવી, દેખવી. ત્યારબાદ અનુકંપાને વિષે તત્પર મુખ્ય વૃત્તિથી તો સર્વદા સદા ભાવદયા તત્પર જીવોના મિથ્યાત્વાદિક હેતુભૂત ભાવી દુઃખ વિપ્રયોગ-કલેશ રહિત ગણતો વિચાર કરે છે. અહિંયા બને જીવો સમ્યદ્રષ્ટિ જીવને અનુકંપા કરવાને લાયક છે. ભવ્ય, અભવ્ય, બન્નેને વિષે અનુકંપા સમાન છે, તોપણ અભવ્ય ભવ્યનાં દુઃખ વિયોગને કરવાની શક્તિ નહિ હોવાથી ભવ્યને જ ગ્રહણ કરવાની ચિંતાને કહે છે. મુક્તિમાં ગમન કરવાનાં લક્ષણથી રહિત જીવ પરિણામ દૂષિત ભવદુઃખ ક્ષયરહિત એવા અભવ્ય જીવો પોતાના જ સ્વભાવથી અનાદિ અનંત ભાગે રખડનારા હોવાથી તેને છોડી દઈ ભવ્ય જીવો અનાદિ કાળથી તેવા સ્વભાવવાળા છે, પણ ભવિષ્યમાં કલ્યાણની પરંપરાના પાત્ર બનશે, માટે તેને દુ:ખથી મુક્ત કરવાની શક્તિ છે. એટલે દુઃખથી તેને મુક્ત કરી શકાય છે.
भव्य जिणेहिं मणिया इह खलु जेसिद्विगमणजुग्गा ते पुण अणाइ यहिणाम भावओ हुंति नायव्वा ॥१॥ विवरियाउ अभव्वा न कयाइ भवन्नरसतेयारं, गच्छिसुजंतिवतहा, ततुच्छिओ भावओ नवरं ॥२॥
ભાવાર્થ : ઇંડા નિશ્ચય જે જીવો સિદ્ધિગતિને વિષે ગમન કરવાને યોગ્ય હોય છે તે જીવોને જિનેશ્વર મહારાજાએ ભવ્યજીવો કહેલા છે, તે પણ અનાદિકાળથી પરિણામના ભાવથી જ જાણવા લાયક છે. તેનાથી જે વિપરીત હોય તે જીવો અભવ્ય કહેવાય છે. તે કદાપિ કાળે ભવસમુદ્રના પારને પામી શકતા નથી, અને પાર પામશે પણ નહિ,
૧૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org