________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ઉત્પન્ન કરનાર શું નથી થતો ? અર્થાત્ થાય છે.
જીવ કર્મવડે કરી મિથ્યાદષ્ટિપણાથી સંસારને વિષે પરિભ્રમણ કરે છે. તેનું ચિંતવન કરે. અહો ! અહો ! આ જીવે અપાર સંસાર પારાવારને વિષે અનંત જન્મોને ધારણ કરી નરક તિર્યંચાદિક ગતિને વિષે ઉત્પન્ન થયેલી દારૂણ વેદના અનંતીવાર ભોગવી, તથાપિ કર્મનો અંત ન આવ્યો. તેમાં કાંઈ પણ સંદેહ નથી, કારણ કે ભવ, જીવ, કર્મ, આ આ ટાણેનો અનાદિકાળથી સંબંધ છે. તેમાં પણ ચાર ગતિને વિષે બહુશઃ રખડતા બહુ દુઃખોને સહન કર્યા હિંસાદિક પાપકર્મના કરવાવડે કરી નરક તિર્યંચ ગતિમાં આ જીવ બહુ વાર ગયો. મનુષ્ય અને દેવગતિનું સુખ તો લવલેશ માત્ર પામેલ છે. એવી રીતે અવિનાશી સુખનો નાશ કરી ભવકષ્ટની પરંપરા આ જીવે અનંતકાળ સુધી સહન કરી મિથ્યાત્વાદિકના ઉદયથી. યત: મમ: भयवं ! के संसारे दुःखिया, गोयमा, सम्मदिठ्ठी अविरयति
ભાવાર્થ : હે ભગવાન ! સંસારને વિષે દુ:ખિયા કોણ જીવો છે ? હે ગૌતમઅવિરતિ, સમ્યક્દષ્ટિ હોય છે.
વળી આ જીવ જે સમ્યગ્દષ્ટિ છે, તેને પાણીવડે ભીની થયેલી ધૂળને ગ્રહણ કરી વર્ષારૂતુમાં જેમ બાલકો ઘરને કરીને રમે છે, તેજ પ્રકારે દેવેંદ્ર, દેવો, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવાદિકને, અધુવં: અશાશ્વત જાણે છે. સંસારમાં જેટલા પદાર્થો છે, તેને તથા દેવતાઓના સાગરોપમોના આયુષ્યોને પણ બાળકે કરેલા માટીના ઘર સમાન લેખે છે. વિનિશ્વર છે. એવી સતે સર્વદા સર્વત્ર, અત્યંત દુઃખ કલેશના નિવાસરૂપ સંસારને માની નિરંતર ઉદ્વિગ્ન રહે છે. માટે તેને નિરંતર મહાદુઃખ હોય છે. તે કારણ માટે પોતાને અશરણ
M૧૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org