________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ચારિત્રાવરણીય કર્મના ઉદયથકી મિથ્યાભિનિવેશનાં ઉપશમપણા વડે કરી ઘર, બાર, વિષય, ભોગોપભોગ, વસ્ત્રમાલ્યાદિકને વિષે રક્ત રહ્યો છતો પણ, અને તેને છોડવાને અશક્ત છતો પણ મન અને વચનવડે કરી વિરક્તભાવી તેનાથી પાછો ફરવાની ઇચ્છાવાળો એવો વિષયાદિકનું અસારપણું ચિંતવન કરનારો હોય છે.
યત: यः शासनस्यमालिन्येऽनाभोगेनापि वर्तते, स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवं ॥१॥ बध्नात्यपि तदेवालं परं संसारकारणं, विपाकदारुणं घोरं सर्वानर्थविवर्धनम् ॥२॥
ભાવાર્થ : જે માણસ વિસ્મરણથી પણ જૈન શાસનના માલિન્યપણાને વિષે પ્રવર્તમાન થાય છે, તે નિશ્ચય બીજા જીવોને મિથ્યાત્વના હેતુભૂત થવાથી, મહાઅનર્થને કરનારું તથા અત્યંત ઘોર અને દારૂણવિપાકવાળું તેમજ ઉત્કૃષ્ટ રીતે સંસારને વૃદ્ધિ કરનારું, એવું મહાનું દુષ્કર્મ બાંધનાર થાય છે, અને અનંત સંસાર રજળનાર થાય છે, માટે જૈન શાસનની ઉડ્ડાહના કરવી નહિ. ભાર્યા, પુત્ર પ્રકૃતિને વિષે શિથિલ પ્રતિબંધવાલો મંદસ્નેહી દીર્થસંસારવર્જિત ગુણી જ્ઞાની પાત્રપુ બહુમાન પરભક્તિ નમ્ર સતો સર્વવિરતિમય ધર્મે ચારિત્ર જેવું સુખ માને છે, જેઓ રાચેમાગે છે તેઓ ઐહિક સામ્રાજય રાજયસુખ લાભને વિષે સુખ માનતો નથી. કિંતુ પ્રહારંભ પરિગ્રહાદિકનાં પ્રબળ આરંભોથી ખેદિત થઈ જીવઘાતાદિકના મહાન પાપકર્મરૂપ કૃષિકર્મ આદિકથી બહુ જ પશ્ચાતાપ કરે છે. ભગવાનનાં બિંબ, ચૈત્યાદિકને વિષે તથા સાધુ મહાત્માઓને આત્માની અનુગ્રહબુદ્ધિવડે કરી જે જે પ્રમાણવાલા જેટલા જેટલા ધન્ય ધાન્ય દ્વિપદ ચતુષ્પદાદિક આપે છે.
૧૬૧
~
૧૬૧
ભાગ-૫ ફમો-૧ ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org