SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ધાર્મિક ક્રિયાઓ સર્વથા નિષ્ફળ થાય છે. એટલું જ નહિ પરંતુ લાભને બદલે કેવલ હાનિજ થાય છે. આવું જાણી ઉત્તમ મહાનુભાવ પૂજા કરવામાં ભાવિક ભવ્ય બંધુઓએ શુદ્ધ સ્વચ્છ અખંડ ઉજ્વલ વસ્ત્રને ધારણ કરી પરમાત્માની પૂજા કરી અખંડલાભ મેળવવાનું ચૂકવું નહિ. पृथ्वीशुद्धिः વલી પણ પૂજા કરવાના સમયને વિષે ભૂમિશુદ્ધિ કરવી જોઇએ મલશ્લેષ્માદિક અશુચિમય પદાર્થોના સંગરહિત શુદ્ધ પવિત્ર કરવી જોઇએ કારણ કે ભૂમિ અશુદ્ધ અને અપવિત્ર હોય તો પણ લાભ લેશ માત્ર પ્રાપ્ત થતો નથી માટે ઉત્તમ જીવોએ પૂજા કરતી વેળાએ ભૂમિને પણ અશુચિ પદાર્થો વડે કરી રહિત કરવી. पुजोपकरणशुद्धिः વલી પણ પૂજા કરનારા ઉત્તમ જીવોએ પૂજાનાં ઉપકરણોની શુદ્ધિને રાખવી શ્રેયસ્કર છે. કારણ કે જો પૂજાના ઉપકરણો મલીન હોય તો અંદર સ્થાપન કરેલી વસ્તુઓ પણ મલીન ભાવને પામે છે એટલું જ નહિ પરંતુ આત્માના અધ્યવસાયના પરમાણુઓ પણ મલીન દશામાં મગ્ન થવાથી પૂજા કરનારા જીવો જોઇએ તેવા લાભને મેળવી શકતા નથી માટે કલશો તથા લોટા તથા રકાબીઓ તથા વાટકીયો શુદ્ધ અને સ્વચ્છ રાખવાં જોઇએ તેમજ પૂજાનાં ઉપકરણો પોતાના ઘર કર્તવ્યને વિષે કોઈ પણ દિવસ વાપરવાં પણ નહિ. स्थितिशुद्धि : પરમાત્માના પ્રાસાદને વિષે પ્રવેશ કર્યા બાદ ચોરાશી આશાતનાને દૂરથકી દૂર કરવી જોઇએ તેમજ દશ આશાતનાને ત્યાગ કરવી તથા ચૈત્યવંદન કરવાના સમયે મર્યાદાપૂર્વક બેસવું તેમજ Jain Education International ૫૩ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy