SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ગયા, તેમાંથી એક નરરુચિ નામનો બ્રાહ્મણ ઘણા દિવસો સુધી સર્વ જગ્યાએ ફરીને પોતાના ગામે જતો રસ્તામાં એક વડના કોટરમાં રાત્રિ રહો. તે અવસરે તે વડના અધિષ્ઠાયક દેવ વ્યંતરને તેની સ્ત્રી કહેવા લાગી કે હે નાથ ! એક વાર્તા કહો ? તેણે કહ્યું કે હે પ્રિયે ! ઘટક ગામે સુગમ છે તો પણ “અપ્રશિખ” આ અક્ષરનો અર્થ વિદ્વાનો પણ જાણતા નથી, તેથી ક્રોધ પામેલ રાજા પ્રાતઃકાળે બધાને એકત્ર કરી સમકાળે મારશે, ત્યાં પુત્ર, કલર, મિત્રો વિગેરેના રૂદન, કરૂણસ્વર બહુજ થશે. તેથી પ્રાત:કાળે હું ત્યાં જઇશ. સ્ત્રીએ કહ્યું કે હે નાથ ! તે અક્ષરોનો શું અર્થ છે ? તેણે કહ્યું રાત્રિને વિષે બોલવું નહિ માટે નહિ કહું. પણ સ્ત્રીના અતિ આગ્રહથી ચારે બાજુ જોઈને બોલ્યો કે આ ઇતિ આણેતારા પુત્રને પ્ર ઇતિ વનને વિષે પ્રસુત એટલે સુતેલાને, શિ ઇતિ શિખા ચોટલીને પકડીને ખ ઇતિ ખગ વડે મસ્તક કાપીને માર્યો છે. એ અર્થને વડના કોટરમાં રહેલા વરસચિએ સાંભલીને, પ્રાતઃકાળે નગરમાં આવી ને રાજાને, નાપિતને તથા શેઠને એકત્ર કરીને અર્થ કર્યો. રાજાએ પણ તે અર્થને સત્ય માની, નાપિતનો વધ કર્યો અને અચલ શ્રેષ્ઠી પણ તે નાપિત પાસેથી પોતાનું ધન લઈને પોતાને ઘરે ગયો, આ હકીકત જાણી કદાપિ રાત્રિને વિષે ગુહ્ય વાર્તા ન કરવી. C1 ભોજરાજાની કીર્તિનીક્યા છે એકદા રાજવાટિકાને વિષે ક્રીડા કરવા ભોજ રાજા ચાલ્યો તે વખતે રાજમાર્ગને વિષે ભૂમિની ઉપર પડેલા ધાન્યના દાણાને રાજશેખર કવિ વીણતો હતો તેને દેખીને ભોજરાજાએ કહ્યું કે : જે પોતાના ઉદર પૂર્ણ કરવાને પણ અસમર્થ છે. તેના જન્મવડે કરીને શું ? એવું સાંભળી કવિએ કહ્યું કે : જેઓ બીજાને સહાય કરવા સમર્થ છે છતાં પણ ઉપકાર કરવાવાળા ન થાય તેનાથી પણ શું? તે સાંભળી ફરીથી પણ રાજાએ કરીને છે અને સી M૩૮૦) ૩૮૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy