SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સસરો-અલ્યા ચોર, પકડો પુત્રો, હો હો આ રહ્યો આ રહ્યો. પકડો પકડો જોઈ શું રહ્યા છો ? પુત્રો-આ, આ, આ, રહ્યો-હા. એમ કહી ધક્કામુક્કી કરી મારવા માંડયા.કેશવરામ સમજી ગયો કે હવે જો ઘર ભેગા નહિ થઈ એ તો જમડાને શરણ હમણાં બધા કરી દેશે તેથી તે કેશ પલાયન થયો. સસરા અને સાળાઓએ જાણ્યું કે પાછો ઘરમાં પેસી જશે માટેચાલો આને જરા આગળ વળાવી આવીને તેથી હાથના ટલ્લા કોણીના મુદ્દા મારતા મારતા કેશવને ગામ બહાર મુકી આવ્યા, કેશવ ભાઈ સમજી ગયા કે આ બધું આપણી દુર્બુદ્ધિનું જ ફળ છે, તેથી ગૂચચૂપ ઘર ભેગો થઈ ગયો અને ચોથું પદ ઉત્પન્ન થયું. OT ધન્કંધેલી કેશવા-૪) તેથી સાસરાના ઘરના તમામ માણસો ખુશી થયા અને દુનિયામાં કહેવત ચાલી કે : બજેરકુટી બજેરામ, તલી તેલ માધવા, * ભૂમિ શય્યા મણિરામ, ધÉÉલી કેશવા. ૧ આ ઉપરથી સાર એ લેવાનો છે કે જમાઈનો વિશ્વાસ ન કરવો તેજ સત્ય છે. બીજી વાત એ કે જમાઈને જમની આઈ. માતા કહેલ છે, તે પણ સત્ય છે. કારણ કે સાસરના ઘરનું જયાં સુધી પૂર્ણ ન ચૂસી ખાય ત્યાં સુધી તેના ઘરનો છાલ છોડે નહિ. ત્રીજી વાત એ છેકે વિવેકી માણસોના ઘરમાં બે પાંચદિવસ રહે છે, વધારે ટકતા નથી. ચોથી વાત એ છે કે લજ્જાને ત્યાગ કરીને જો વધારે ટાઇમ સસરાના ઘરમાં રહે છે. તો તે કંગાલ અને નોકર ચાકરથી પણ અધિક હલકી સ્થિતિમાં રહે છે પાંચમી વાત એ છેકે સાસરાના ઘરમાં વાસ કરવો તે અધમતા સૂચવનાર છે.એટલું જ નહિ. પરંતુ જેમ ગરીબની 393 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy