SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આ તમારી નાની વહુએ તમામ કુટુંબને નવું નવું ભોજન કરાવી પછી બાકીનું ઉદ્ધરેલું હું ખાઈશ ? આવું વચન સારૂં કહ્યું અને સારૂ ચિંતવ્યું કારણકે આ સુસ્ત્રીના લક્ષણો છે કહ્યું છે કે भुजरं भुचियसेसं, सुप्परं सुप्पभि परिजणे सयले । पढमं ये वपिबुजर्ह, धरस्स लच्छी न सा धरणी ॥१॥ ભાવાર્થ : જે સ્ત્રી ઘરના તમામ માણસો ભોજન કરી રહ્યા બાદ ભોજન કરે છે ઘરના તમામ માણસો સૂતા પછી પોતે સૂવે છે તથા તમામની પહેલાં ઉઠે છે તે સ્ત્રી કહેવાથી નથી પણ ઘરની સાક્ષાત્ લક્ષ્મી કહેવાય છે પરંતુ એવું વિચારવું નહિ એમ કહી કુટુંબને સંતોષી ચિરકાળ સુધી કુટુંબ સહિત રાજય પ્રતિપાલન કરી વ્રતને અંગીકાર કરી સુરપાળ રાજા સ્વર્ગે ગયો. C ખાડો ખોદનાર પડે છે. (દષ્ટાંત) TO ધન્યપુરનગરને ધનસાર શ્રેષ્ઠી વસતો હતો તે અત્યંત વૈભવના મદથી ચાર સ્ત્રીઓનું અનુક્રમે પાણિગ્રહણ કરીને દૌર્ભાગ્યપણાથી ઉદ્વિગ્ન થઈ પરદેશ ગયો. ત્યાં દેવાંગના જેવી સ્વરૂપવાળી, ગંગાના સમાન નિર્મલ રૂપવાળી, રતિના પેઠે કામને આનંદ આપનારી, લક્ષ્મીના પેઠે પુરૂષોત્તમને દર્પ કરનારી, પાર્વતીના પેઠે મનોહરા, ભારતીના પેઠે ચતુર પુરૂષોના ચિત્તરૂપી વિત્તને ચોરનારી, સર્વલક્ષણ સુશોભિતા, વિનયવાળી એવી વિનીતા નામની ધનદત્ત શ્રેષ્ઠીની પુત્રીનું પાણિગ્રહણ કરી પોતાને ઘેર ગયો. ત્યાં દુર્ભાગી એવીચારે સ્ત્રીઓને પૃથફ પૃથક્ ભોજનાદિકની સામગ્રી આપીને વિનીતાને શીખવ્યું કે હે ભદ્ર ? આ તારી ચારે શોકયો હૃદયની પાપી છે, માટે એઓએ તને આપેલ અન્ન,પકવાન, ક્ષીર, નીર, ફળ, પત્ર, પુષ્પાદિક તારે ગ્રહણ કરવાં નહિ. તારે તેને આપવાં હોય તો ૩૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy