SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાઈના સ્નેહને પણ સત્ય માટે ન ગણ્યો ત્યારબાદ તેના સત્ય વચનથી રાજાએ તેના ભાઈને પણ છોડી દીધો. એવી રીતે સત્ય વચનથી તે સત્ય વણિક સુખી થયો. 0 સત્ય વચને કમલ શ્રેષ્ઠી ક્યાOO વિજયપુર નગરને વિષે કમલ શ્રેષ્ઠી વસતો હતો. તે અત્યંત સત્યવાદી હતો. તેનો પુત્ર દુખ બુદ્ધિવાળો વિમલ નામનો હતો. અને તે અસત્યવાદી તેમજ પરને ઠગનારો હતો.એકદા પિતાએ ના પાડ્યા છતાં પણ કરિયાણાને લઈને વિમલ સોપારક નગરના સમીપ ભાગે રહેલ મલયપુરે ગયો. હવે ત્યાં વેપાર કરીને જોવામાં તે ઘર પ્રત્યે પાછો ફરવાની ઇચ્છા કરે છે તેવામાં વર્ષાકાળ આવ્યો એવામાં વિજયપુર વિષે વસનારો કોઈ સાગર નામનો વાણિયો પારપામી ત્યાં આવ્યો, અને સાગરના ઉપરોધથી વિમલ પણ ત્યાં રહ્યો હવે સાગરનું કરિયાણું હતું તેનો વ્યવસાય કરતાં વિમળે કપટ કરીને વચ્ચેથી હસ્તાદિકની સંજ્ઞા કરીને ગ્રાહક પાસેથી દશ હજાર સોના મહોરો ગ્રહણ કરી ત્યાર બાદ તે બન્ને વિજયપુર પ્રત્યે ચાલ્યા નગરને નજદીક આવ્યા, તે કમલ શ્રેષ્ઠી પણ પુત્રની સામે આવ્યો, હવે તે ત્રણે જણા નગર પ્રત્યે જવા માટે ઘોડા ઉપરબેસીને ચાલ્યા. માર્ગને વિષે સાગરે કહ્યું કે હે વિમલ ! તું મારૂ જ્ઞાન જો. દેખેલાની પેઠે અદષ્ટ વસ્તુને પણ કહું છું કેરીથી ભરેલી ગાડી એક આગળ જાયછે, તેનો સારથી ગલત કુષ્ઠી બ્રાહ્મણ છે. તેની જમણી બાજુ ગળીયો બળદ છે, તેની ડાબી બાજુ ડાબે પગે બળદ ખોડો છે, તેના પછાડી એક કોઈકની સ્ત્રી આવેલી છે તે પણ ગર્ભવતી છે,ગર્ભમાંપુત્ર છે,કુંકુમનોરાગ કરેલ છે. તેના ચોટલામાં બકુલ પુષ્પો નાખેલા છે તેની શરીરે વૃણ છિદ્રો છે લાલ વસ્ત્રને પહેરે છે અને ગાડામાં બેસીને જાય છે. તે વચનો ૨૨૭ ભાગ-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy