SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તે માટે પ્રાણ પણ આપીને આ ગાયનું મારે રક્ષણ કરવું જોઇએ એવું ચિંતવી તરવાર ઊંચીકરી ગાયની પાસે ઊભો રહ્યો. રાત્રિમાં ઠંડીથી તથા ભયથી કંપાયમાન થાય છે, તેથી રાજાએ તેના ઉપર પોતાનું લુગડું નાખી ગાયને ઢાંકી દીધી. સિંહ પણ ગાયને મારવાને માટે ફાળો ભરે છેરાજા તેને તરવાર વડે ડરાવે છે. આવા બનાવથી ત્યાં વૃક્ષના ઉપરરહેલો એક પોપટ બોલે છે કે હે માલવેશ્વર ! આ ગાય આજ કાલ પોતાની મેળે મરવાની તો છે જ તો તેને માટે ફોગટ તું શાને માટે તારા પ્રાણ ગુમાવે છે ? માટે સ્વેચ્છાથી ચાલ્યો જા અગર આ વડવૃક્ષ ઉપર ચડી જા. એટલે રાજાબોલ્યો કે શુકરાજ ! તું એવું ન બોલ, કારણ કે કહ્યું છે કે : પરના પ્રાણ વડે કરી પોતાના પ્રાણ સર્વેજીવો બચાવે છે, પરંતુ પોતાના પ્રાણ વડે કરી પરના પ્રાણ બચાવનાર તો એક જીમૂત વાહન રાજા જ થયો છે. દયા ધર્મ રૂપી કલ્પવૃક્ષનું બીજ છે, સમગ્ર જગતને સુખકરનારી છે, તેમજ અનંતા દુ:ખનો ઘાત કરનારી દયા છે. ૩ જેમ સ્વામી વિનાનું સૈન્ય વૃથા ગણાય છે તેમ જ દયા વિના દેવ ગુરૂના ચરણ કમળની સેવા તથા તપકર્મ તથા સર્વે ઇંદ્રિયોનું દમન, દાન, શાસ્ત્રનું અધ્યયન-આ સર્વે નિષ્ફળ ગણાય છે. ૪. આજ અગર કાલ નિશ્ચય મરણ તો છે જ, તો પોતાના એકના મરણથી જો ઘણા જીવોના પ્રાણોનું રક્ષણ થતું હોયતો પછી બીજું શું જોઇએ છે ? માટે મહારા પ્રાણને અર્પણ કરીને પણ નિશ્ચય આ રક્ષણ કરીશ. એવો નિશ્ચય કરી દેવામાં ગાયનું રક્ષણ કરે છે તેવામાં પ્રાતઃકાળ ૨૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy