SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ હાસ્ય કરવા લાગ્યો. અને પ્રસંગે મલવાથી અનાચારનું પણ સેવન કરવા લાગ્યો અન્યદા રાજાએ મહેન્દ્રકુમારને રાજ્યઆપવાની ઇચ્છાકરી.અને મહેંન્દ્રકુમારે મદનને મારવાને માટે ઘાતકી પુરૂષો મોકલ્યા. તે પુરૂષો મદનને પ્રહારો મારી જર્જરીભૂત કરતા હતા,તેવામાંતલાક્ષને તેમનેદેખ્યા, તેથી તલા૨ક્ષ તે સર્વેનેરાજા પાસે લઇ ગયો.રાજાએ પુછ્યું કે - તમોને કોણે મોકલ્યા છે ? તેથી તેઓએ કહ્યું કે મહેંદ્રકુમારે ત્યારબાદ રાજાએ તમામ વૃત્તાંત જાણીને તે અન્યાયી કુમારને પોતાના દેશનીહદપાર કર્યો તેથી તે રાજકુમાર પણ ચંદ્રવદનાને લઇને અન્ય જગ્યાએ ગયો. ત્યારબાદ મદનને વૈદે નિરોગીકરવાથી તે પોતાને કામે લાગ્યો, અનેરાજાએ અપ૨ પુત્રને ગાદી આપી પોતે દીક્ષાને અંગીકાર કરી મહેંદ્ર તથા ચંદ્રવદના પરદેશને વિષે ભમતા હતા તેને ચોરોએ પકડયા અને બન્નેને બબ્બરકુલમાં વેચ્યાં. ત્યાં રૂધિર વિગેરે ખેંચવાની વેદનાને સહનકરીને, મરીને બંને જણા નરકે ગયા. ત્યાંથી નીકળીઘણા ભવોને વિષે ભટકશે, માટેસદગતિને વિષે ગમન કરવાથી ઇચ્છાવાળા જીવોએ સ્પર્શેન્દ્રિયના લૌલુપ્યપણાનોત્યાગ કરી સુખી થવાની ઇચ્છા કરવી જોઇએ. ( સ્પર્શેન્દ્રિય વિષયે સુકુમાલિકાની ક્યા વસંતપુર નગરને વિષે જિતશત્રુ રાજા વાસ કરતો હતો.તેને અત્યંત રૂપવંતી કુમાલિકા નામની રાણી હતી. તે કામરૂપી સમુદ્રને તરવામાં નાવના સમાનરાણીના સાથે રાજા નિરંતરક્રીડા કરતો હતો. અને તેના શરીરના સ્પર્શને વિષે તે એટલો બધો મોહ પામેલો હતો કે પોતાના રાજ્યને પણ તૃણસમાન ગણવા લાગ્યો. રાજાની આવી સ્થિતિ જોઇ મંત્રી આદિવર્ગ વિચારવા લાગ્યા કે રાણીને વશ થઇને Jain Education International ૨૦૪ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy