SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પોતે પરણેલ કન્યા સુકરને આપી. આની સાથે હું એક રાત્રી રહી છું એમ જાણી તે રાજાના દ્વારપાલની કન્યાદ્વારપાલ બાલકને પામી પોતે ચંદ્રસેનની સ્ત્રી થઇ. તે બને આયુષ્યને છેડે ધર્મ આરાધી સદગતિમાં ગયા, તો હે પ્રિયે ! એક રાત્રી સાથે ચાલનારને તેણીએ હર્ષ કર્યોહતો તો હું તારા સાથે બે વર્ષ રહ્યો છું. છતાં તું મને શા માટે મારે છે? એવા તેના વચનો સાંભળીને બોધ પામેલી વેશ્યાને છોડી દીધેલ બ્રાહ્મણ પોતાને સ્થાને ગયો, CT સુલભ બોધિ દુર્લભ બોધિ દષ્ટાંત છે કોસાંબી નામની નગરીમાં સમુદ્રપર્યત પૃથ્વીનો નાથ જિતારી રાજા વાસ કરે છે, અને તે ગામમાં ઘણી લક્ષ્મીવાળો તથા સુવર્ણપટ્ટ વડે કરી અલંકૃત ધન અને યક્ષ, નામના શેઠીઆઓ વસે છે. તે બંનેને દેવપાળ અને વસુપાલ નામના એક એક પુત્ર છે. તે બંનેને ખાવું પીવું. બેસવું, ઉઠવું, હરવું, ફરવું, સુવું વિગેરે સાથે જ હોવાથી રાજા પ્રજાએતે બન્નેનું નામ એકચિત્ત પાડયું. તેવા સમયે મહાવીર મહારાજાનું પધારવું થયું અને બન્ને જણા વંદન કરવા તથા ધર્મોપદેશ શ્રવણ કરવાગયા ભગવાનનો ઉપદેશ દેવપાળને રોમે રોમે રૂટ્યો, પરંતુ બીજાને રૂચ્યો નહિ. બન્ને જણા ઘેર ગયા, અને શય્યામાં સૂતા.દેવપાળે કહ્યું કે, કેવો સુંદર ઉપદેશ, વસુપાળ કહે છે કે મને તે ઉપદેશ રૂચ્યો નથી, તેથી અરસપરસ ભેદ ઉત્પન્ન થયો, ખુલાસો કરવાની ઇચ્છા કરી. અન્યદા કેવળીના આગમનથી પ્રશ્ન કરવા બંને ગયા. કેવળી ઉત્તર આપે છે, એક ગામના વિષેદ્રગીના તમે બંને પુત્રો હતા, ને યુવાન અવસ્થા પામ્યા,તમો બંનેને પૂર્વ પુન્યોદયથી લક્ષ્મી ઉપાર્જન કરી પરંતુ પાછળથી લક્ષ્મી નાશ પામી, તેથી બન્ને જણા મહા ચિંતામાં પડ્યા. લોકોમાં પણ અપમાન વધવા માંડયું અને M૧૮૩) ૧૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy