SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ CT વેશ્યા બ્રાહ્મણની ક્યા O ચંદ્રપુરમાં વસનાર દામોદર નામનો બ્રાહ્મણ રોહણા ચલના રાજાની પાસેથી પાંચ રત્ન લઇને પોતાની સાથળમાં નાખી, રસ્તામાં જઈ કામસેના વેશ્યામાં આસકત થયો. સવા કોટીમુલ્યવાળા એક મણિને વેચીને વેશ્યા સાથે તે ધન દ્વારા ભોગવિલાસ કરવા લાગ્યો. બે વરસને છેડે વેશ્યાએ પુછયું કે તું ધન ક્યાંથી લાવે છે ? તે બ્રાહ્મણે સાચેસાચું કહી દેવાથી એકદા તે સુતો હતો તે વખતે તેની છાતી ઉપર ચડી બેસી ચાર મણીયો તેની પાસે લેવા માટે એવામાં તેનું માથે તલવારથી કાપે છે તેવામાં તે પાહિણીને બ્રાહ્મણે કહ્યું કે તું મારી એક વાત સાંભળ પછી તને રૂચે તેમ કરજે, તેથી નીચે પડેલા બ્રાહ્મણે કથા કહેવા માંડી કે : વસંતપુરના રાજા વિજયસેનનો ચંદ્રસેન નામનો પુત્ર એકદા ઉદ્યાનમાં ઘોડાને ખેલાવી નગર બહાર આમ્રવૃક્ષની નીચે બેઠો તે વખતે રસ્તામાં જતાં તેણે એક વટેમાર્ગ દેખ્યો. તેને કહ્યું કે તું બહુદેશ જોવાવાળો લાગે છે માટે શું શું અદ્દભૂત દેખ્યું ? તે કહે તેથી રાજાને નમીને તે જાણે રાજાને મોતીથી વધાવતો હોયની શું તેમ મિષ્ટ વચનોથી બોલ્યો કે હે દેવ ! દેવપુર નગર વિષે પુરંદર રાજાની રતિસુંદરી નામની રતિને આપનારી રાજકન્યા છે. તે કામદેવના સમાન સૌભાગ્યવાન છે. દેશોને વિષે ફરતાં મેં બે આશ્ચર્યો દેખ્યાં, પણ તે કન્યા તમારે ઉચિત છે. તેને ગંધપુર નગરનો નાળનો સ્વામી કુરૂપીઓને વિષે શિરોમણી છે,તે આજથી સાતમે દિવસે પરણશે તેની ને ખેદ થાય છે. હવે તમને યોગ્યલાગે તેમ કરો તેનાં વચન સાંભલી તેને પ્રીતિ દાન આપી તે જ રાત્રિમાં ઘણા ધન સાથે બે ઘોડા લઇ, પિતાએનહિ જાણેલો ઘરથી નીકળી દેવપુર નગરે જઈ, રાજાના ૧૮૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy