SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શાસ્ત્ર શ્રવણ ૯, શાસ્ત્ર ગ્રહણ ૧૦, શ્રદ્ધા ૧૧, સંયમ ૧૨ એ ઉપરોક્ત બાર ઈહલોકના અંદર પામવા બહુ જ દુર્લભ છે. મહા પુન્યની રાશીઓ એકત્ર થાય છે ત્યારે ઉપરોકત બારની પ્રાપ્તિ થાય છે. એના અંદરથી પુન્યોદયથી તમને જેટલીમલી છે તેનો સદુપયોગ કરી હળુકર્મી તું થા (જુદા જુદા નાતરાના ભેદો)) મથુરા નગરીમાં કુબેરસેના નામની એક વેશ્યા હતી. તેને પુત્ર પુત્રીનું એક જોડલું જમ્મુ તેમાં પુત્રનું નામ કુબેરદત્ત અને પુત્રીનું નામ કુબેરદત્તા પાયું, હવે તે જોડલાને આંગળીમાં એકએક વીંટી પહેરાવી, વસ્ત્રથી લપેટી પેટીમાં નાંખી પેક કરી યમુના નદીના પ્રવાહમાં તે પેટીને મુકી દીધી. તે પેટી સુર્યોદય સમયે સૌરીપુર નગર પાસે જઇ પહોંચી. ત્યાં અંડિલ ભૂમિએ આવેલા બે શેઠિયાઓએ તે પેટીને નદી બહારકાઢી ને તેમાંથી જે નિકળે તે બન્ને જણાએઅર્ધ અર્ધ વહેંચી લેવાનો ઠરાવ કરી તેને ઉઘાડવાથી પુત્ર પુત્રી બે જણાને દેખવાથી એકે પુત્રને લીધો અને બીજાએ પુત્રીને લીધી અનુક્રમે તે બન્ને બાળકો યુવાન અવસ્થા પામ્યા અને કર્મના યોગે બન્ને જણાએ અરસ પરસ સંબંધ જોડી બન્નેનો વિવાહ કર્યો કહયુ છે કે – आरोहतु गिरिशिखरं,जलधिमुल्लंघ्य पातु पातालं । विधिलिखिताक्षरमालं, फलति कपालं न तु भूपाल : ॥१॥ ભાવાર્થ : મનુષ્ય કદાચ પર્વતના શિખર ઉપર ચડી જાય, અથવા તો સમુદ્રનું ઉલ્લંઘન કરી ભલે પાતાલમાં પ્રવેશ કરી જાય તો પણ તેના લલાટ પટ્ટામાં લખેલા વિધાતાના અક્ષરો હરકોઈ ઠેકાણે ફળ આપે છે પરંતુ રાજા વિગેરે કોઈ પણ કંઈ કરી શકતા નથી. લગ્ન પછી કુબેરદત્તાપોતાના પતિ સાથે સોગઠાબાજી રમતી હતી તેવામાં ૧૭૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy